Religion Knowledge For Daily Puja
પૂજા સાથે જોડાયેલી આ 11 જરૂરી વાતો બધાને ખબર નથી હોતી.................!
દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ.
-સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની
પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે.
-શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
-સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
-પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે.
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.