Shoes Stolen At The Temple Is A Good Sign In Hindu Mythology
મંદિરમાંથી બૂટ-ચંપલ ચોરી થાય તો નિરાશ ન થતા, આ છે તેના શુભ સંકેત!
મંદિરથી બૂટ-ચંપલ ચોરી થવા ખૂબ જ સામન્ય વાત છે. આ ચોરીને રોકવા માટે બધા જ મોટા મંદિરોમાં બૂટ-ચંપલને રાખવા માટે એક અલગથી સુરક્ષિત વ્યવસ્થા રાખવામાં આવે છે. આ વ્યવસ્થા હોવા છતાં પણ ઘણીવાર લોકોના બૂટ-ચંપલ ચોરી થઇ જાય છે. કોઇપણ પ્રકારની ચોરી થવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, પરંતુ જુની માન્યતાઓ મુજબ બૂટ-ચંપલ ચોરી થવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો શનિવારના દિવસે આવી ઘટના બને છે તો શનિ દોષમાં રાહત મળે છે. ઘણા લોકો જે જુની માન્યતાઓને જાણે છે, તે પોતાની ઇચ્છાથી જ દાન સ્વરૂપે મંદિરોની બહાર બૂટ-ચંપલ છોડીનો આવે છે. આ દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે.
પગમાં હોય છે શનિનો વાસઃ-
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. શનિ જ્યારે કોઇ વ્યક્તિને વિપરીત ફળ આપે છે તો તેની પાસે કઠોર મહેનત કરાવડાવે છે અને ફળ માત્ર નામ પૂરતું જ પ્રદાન કરે છે. જે લોકોની રાશિ પર સાઢેસાતી અથવા ઢૈય્યા ચાલી રહી હોય છે અથવા કુંડળીમાં શનિ શુભ સ્થાન પર ન હોય તો તેમણે ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
આપણા શરીરના બધા જ અંગો ગ્રહોથી પ્રભાવિત હોય છે. ત્વચા અને પગમાં શનિનો વાસ માનવામાં આવે છે. પગ અને ત્વચા સાથે સંબંધિત વસ્તુઓ શનિને નિમિત્ત દાન કરવામાં આવે તો ઘણા શુભ ફ પ્રાપ્ત થાય છે. સાથે જ, પગ અને ત્વચા સાથે સંબંધિત બીમારીઓમાં પણ લાભ પ્રાપ્ત થઇ શકે છે.
શનિવારે કારક હોય છે શનિઃ-
શનિવારે કારક ગ્રહ શનિ છે અને આ જ કારણથી આ દિવસે બૂટ-ચંપલ ચોરી થવા પર શનિના અશુભ પ્રભાવોમાં રાહત મળે છે. આ ખૂબ જ જુની માન્યતા છે.
સતત બૂટ-ચંપલ તૂટી જાય તોઃ-
શું તમારી સાથે આ સમસ્યાઓ થાય છે કે બૂટ-ચંપલ ઘણા ઓછા સમયમાં જ તૂટી જાય છે. જ્યોતિષ મુજબ સતત બૂટ-ચંપલ ચોરી થવા અથવા ખોવાઇ જવા પણ શનિના અશુભ હોવાનો સંકેત માનવામાં આવે છે.