હનુમાનજીના ભક્તોને નથી કરડતા અહીંના વીંછી, રમે છે હથેળી પર…!
વીંછીનું નામ સાંભળતા જ ભલાભલા લોકોના રૂવાંટા ઉભા થઇ જાય છે. ઝેરીલા ડંખથી જીવ પણ જઇ શકે છે. પરંતુ દેશમાં એક જગ્યા એવી છે જ્યાં બાળક-વૃદ્ધો હાથથી તેને પકડી લેતા હોય છે અને માચીસની ડબ્બીમાં બંધ કરીને રાખી લે છે. એટલું જ નહીં લોકો વીંછીને તેમની હથેલી પર નચાવે છે.
કેટલીક હદ સુધી અફવા અને કલ્પનાશીલ લાગનારી આ વાત ખરેખર સાચી છે. જોકે, આ અનોખી જગ્યા મધ્યપ્રદશેના આગર માલવા જિલ્લા સ્થિત શ્રીબલ્ડાવદા હનુમાન મંદિર છે. વિશાળ મંદિરમાં દર વર્ષે ગુરુપુર્ણિમાના દિવસે એક દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દરમ્યાન સિદ્ધ હનુમાનદીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. માન્યતા છે કે આ મંદિરના પરિસરમાં પથ્થરોની નીચે રહેનાર ઝેરી વિંછી ગુરુપુર્ણિમાના દિવસે કોઇને કરડતા નથી.
જિલ્લાના નલખેડાથી 2 કિમી દૂર સ્થિત અતિ પ્રાતીન અને ચમત્કારિક હનુમાન મંદિર એક પહાડ પર સ્થિત છે. હનુમાનજીના દર્શન માટે પહોંચનારા ભક્ત આ વીંછીને માચિસની ડબ્બીમાંલ બંધ કરીને પોતપોતના ઘરે લઇ જાય છે અને શાંતિની ક્ષણમાં તેમને અંદર અંદર લડાવે છે.
જોકે, શ્રદ્ધા અને વિશ્વાસના આ સ્થળ પર કેટલા વર્ષોથી વીંછી નીકળેછે. ગુરુપુર્ણિમાના દિવસે વીંછી કોઇને કરડતા નથી.
આ લેખ અંધશ્રધ્ધા માટે નથી હુ પોતે અંધશ્રધ્ધામાં માનતો નથી ફેલાવતો નથી જે જોયુ છે તે લખ્યુ છે .