Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર-૪
આગળ

પરિસ્થિતિ એવી હતી કે બન્ને તરફ હવે આગ લાગી હતી,પ્રેમ હતો કે આકર્ષણ કંઈજ સમજી સકાતુ નથી.દર્શી ને ચાર જણાની જવાબદારી હતી તો જુઆનને ફક્ત દાદીને ધંધાની.ધીરે ધીરે બધુ જ પાર ઉતરી જશે
એમ વિચારી જુઆન પણ આંખ ધેરાવા સાથે સૂઈ ગયો.
સવારે દાદી જુઆનને લઈ ડાક્ટર પાસે ગયા. ધીરે રહી ડોક્ટરને પોતાના મનની વાત કરી. ડોક્ટર સમજુ ને ઘરના હતા તેથી દાદીને મેડીકલ ભાષામાં સમજાવાનો પ્રયત્ન કર્યો,પણ દાદી થોડું સમજ્યાને થોડું નહિ.મુંઝવણ કોને કહેવી? જુઆન તો એમને મૂકી ને ઓફિસે નીકળી ગયો હતો.થોડીજ વારમાં ડ્રાઇવર આવ્યો ને દાદીને લઈને ઘર તરફ નીકળ્યો.તેણે જોયું કે દર્શી રસ્તો પસાર કરી રહી હતી,તો તેણે સાહેબના હુકમનું પાલન કર્યુ કે,”બેન ને ક્યારેય જુઓ તો ગાડીમાં બેસાડી ઓફિસે છોડવા.”દર્શી આનાકાની કરતી રહી પણ દાદીના મીઠા આવકારે તે ગાડી માં બેસી ગઈ.સ્વભાવિક પણે તેણે દાદીને પ્રણામ કર્યા ,અને પોતાની ઓળખાણ આપી.હવે અનુભવી દાદીની સમજ માં આવી ગયું કે જુઆન ક્યા અટવાયો છે!
દાદીએ આભ તરફ નજર કરી ઈશ્વરનો પાડ માન્યો.રાજી થયા કે તે એની વાત કહેવા માટે આજે યોગ્ય વ્યક્તિ નો મેળાપ કરાવ્યો છે.સમયને સંજોગ પ્રમાણે મન ખોલીશ આજે તો ઔપચારિકતા થી જ પતાવું.દાદીને ડ્રાયવર દર્શીને ઓફિસ છોડી આગળ નીકળ્યા ત્યારે ડ્રાયવર પાસે બધી માહિતી મેળવી.પણ દર્શીના ઘરનું ઠેકાણું ન મેળવી સક્યા.ઓફિસ પહોંચતા જ દર્શીને અફસોસ થયો કે તેની પાસે જુઆનને ટેલીફોન નંબર જ નથી.કેવી રીતે તે કહે કે કાલના વર્તન માટે તે ક્ષમા માંગવા માંગે છે.હવે તો જુઆન મળે તોજ મેળ પડે.વિચારી કામે વળગી.બીજી બાજુ લાભશંકરજીને દાદીએ ફોન કર્યો દર્શી ની કુંડળી કાઢવા.મુનીમજી તો ગભરાયા કે શું થશે? ક્યાંથી જાણકારી મેળવવી? પણ નામ જાણ્યા પછી વાત આસાન થઈ ગઈ.મુનીમજી એ દર્શીનું નામ સાંભળ્યું કે ખ્યાલ આવી ગયો કે આતો સોહની મિત્ર કે હમદર્દ કે સર્વસ્વ કારણ તેઓ જ સોહના સગા ફૂવા હતા.તેમને દર્શી પ્રત્યે ખૂબ જ માન હતું.જોવા જાવતો દર્શી ખરેખર હતી પણ સાલસ.ત્રણે ખૂણે હવે રચાયો ત્રિકોણ..*સફર*ના મોડ તો વાંકા ચૂંકા હોય પણ મંઝીલ સુધી તો પહોંચીને જ રહે..!
દાદી પાસે માહિતી પહોંચી ને સફરની મંઝીલ પણ.દર્શી ને દાદીનો મેળાપ સોહના ફૂવા જ કરાવશે એવું વિધાતાનું લખાણ ક્યા કોઈને ખબર હતી..સફર કાપવા નીકળેલો સોહ દર્શીના જીવનના ક્યા મોડ પર વિખૂટો પડ્યો ને ક્યા દાદીને દર્શીનો મેળાપ કરાવનાર ...!વિધાતાને શું મંજૂર છે એ તો દર્શી તેની જીંદગીના સફર માં ક્યા જાણી સકી..!

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૮/૧૧/૧૯

Gujarati Story by Jayshree Patel : 111296556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now