જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે એટલી તો કોઈથી નથી છૂટી. કૃષ્ણથી એમની મા છૂટી,પિતા છુટયા, પછી જે નંદ-યશોદા મળ્યા એ પણ છૂટ્યા.સાથી મિત્ર છૂટ્યા.રાધા છૂટી. ગોકુલ છૂટ્યું,પછી મથુરા છૂટ્યુ. કૃષ્ણથી જીવનભર કાંઈક ને કાંઈક છુટતું રહ્યું. કૃષ્ણ જીવનભર ત્યાગ કરતા રહ્યાં. આપણી આજની પેઢી જે કાંઈક છુટવા પર તૂટવા લાગે છે, એણે શ્રી કૃષ્ણ ને ગુરુ બનાવી લેવા જોઈએ. જે કૃષ્ણ ને સમજી લેશે એ ક્યારેય હતાશામાં નહિ જાય. કૃષ્ણ આનંદના દેવતા છે.કાંઈક છૂટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય છે, એ કૃષ્ણથી સારી રીતે કોઈ નહીં શીખવી શકે.
શુભ સવાર