Gujarati Quote in Poem by Rahul Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૃદય મા પ્રેમ ભાવ ની અછત છે,
મન ક્રોધ મા આધીન છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.

સત્કર્મ ના નામે સદંતર કુકર્મ કરે છે,
ઈશ્વર ને ભજ્યા નુ ઢોંગ કરે છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.

અનીતી ના સિંહાસન પર બેસે છે,
છળકપટ ની રાજનીતિ કરે છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.

માણસ મા માનવતા ની અછત છે,
ગોરા અને કાળા નો ભેદ છે,
એનો એને ભય નથી,
પણ, મૃત્યુ નો એને ભય લાગે છે.

મૃત્યુ ને ટાળવા એ અધળક પૈસા કમાય છે,
એ પૈસા ખર્ચી થોડું જીવન ઉધાર લે છે,
મૃત્યુ તો પરમ સત્ય છે, એ તો એ ભૂલી જાય છે,
અને જીવન આખું એ સત્ય ને ભય મા વેડફી નાખે છે

Gujarati Poem by Rahul Desai : 111279536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now