દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
દોસ્તી ગજબની ચીજ છે. આ એવો સંબંધ છે જ્યાં માણસ
જેવો હોય એવો પેશ આવી શકે છે. સારો મિત્ર એ સારા
નસીબની નિશાની છે. દોસ્તી ઇશ્વરની દેન છે!
દોસ્ત ખોટા રસ્તે હોય છે ત્યારે દુ:ખ થાય છે, પણ
તેને છોડવાનું મન થતું નથી. કર્ણને ખબર જ હતી કે
તેનો મિત્ર દુર્યોધન કેવો છે!