માણેજા
ભાગ : ૨
દાદા જાત્રા એ ગયા છે એમ બધા કહે છે?
બેન તમે પોલીસને કહોને માણી નિર્દોષ છે.
વાત અધૂરી મળી હતી પણ હવે સમજાતી
હતી કે દાદાની આખી જીંદગી ને ધબ્બો ન લાગે તેથી માણેજાને દાવ પર મુકાય હતી.
સારા વકિલને રોકી માણેજાને છોડાવી પણ
દાદાને કાંઈ ન શોધી શકાયા..પણ માણેજાને
સત્ય બોલવા પણ કોઈ ન જીતી શક્યુ.તેને
ભણવું હતું તેથી બાળ સુધારણા ગૃહ મા મૂકવા
મા આવી.
પોલીસ આજે પણ દાદાને શોધે છે ને માણેજા ચાહતના વિરોધી શબ્દ ઘૃણાને
સ્વીકારવા તૈયાર નથી. તે દાદાને સજા
કરવા કે કરાવા તૈયાર નથી.એક બાળકી ના હૃદયમાં ઘૃણા છે પણ તેને તે ખોલતી નથી.દાદાને મામાના સબંધો આજ સુધી કોઈ સમજી શક્યું નહિ.વાત ધરબાઈ ગઈ પણ માણેજા દેવાંશની ચાહત બની રહી.એ વાત દેવાંશને મીરાબેન વચ્ચે જ રહી.દેવાંશ વારંવાર ફોન કરી માણી ના ખબર અંતર પૂછતો તેના અભ્યાસની વ્યવસ્થા કરી દેતો
મીરાબેન તેની આ કૃતજ્ઞાને વિસરી સકતા નહિ
પણ વચનથી બંધાયેલા તે “માણેજા”ને તેના
ધર્મદાતાને મળાવી સકતા નથી.આખરે તે પણ
એક સ્ત્રી જ છે.
જયશ્રી.પટેલ