*કોઈનું દિલ તોડવું નથી*
દોલત મળે કે ના મળે, પણ હવે દોડવું નથી,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી,
આ સત્ય કંઈ નવું નથી,
બે ગજ કફન સિવાય કંઈ લઇ જવું નથી,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા,
પણ અફસોસ છે કે કોઈને અહીં માણસ થવું નથી,
ગુણ દોષ પારકા જોવાની ટેવ પડી ગઈ છે,
પોતાનું હૃદય કોઈને ઢંઢોળવું નથી,
દેવાલયોમાં અને કથાઓમાં ઘણી ભીડ થાય છે,
પ્રભુની સાથે હૃદય કોઈને જોડવું નથી,
ટેવ પડી ગઈ છે જૂઠનાં વ્યવહારની,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
જિંદગીમાં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો કે કોઈ નું દિલ તોડવું નથી.
.????