*ચિરાગ*
કોઇને કાજ ચિરાગ બનું તો એવું બનુ, ખુદના અહમ ને પ્રગટાવી જીવનમાં એની રોશની બનું.
અમીરના આંગણે તો રોજ દિવાળી હોય, મારે તો એક ઈરછા ગરીબના ઘરનું ચિરાગ બનું.
એના જીવનમાં હજી શિક્ષણના અંધારા છે, બની શકે તો અક્ષર જ્ઞાનના પ્રકાશ માટે હું ચિરાગ બનું.
એને આંગણે પણ ઉજાસ ફેલાય,નર કહે ક્યારેક હું પણ એ ચિરાગનો આસરો માંગુ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ