#kavyotsav -2
કેમ જશે?
એની પણ શું પીડા હશે!
ખુદથી જેને ધૃણા હશે.
દિવસો જેનાં ગોઝારા ,
રાતો એની કહેર હશે.
ના પલક પર આશ કોઈ,
શું સપનાથી પણ વેર હશે?
અશ્રુએ બળ્યા નૈન હશે!
ઝખમ લાગણીની દેન હશે.
ના પરથી ફરીયાદ કોઈ..
નિજ કરમ તણી દેન હશે?
મૃત્યું સાગર ઓટ મહી,
જીવનનૈયા મઝધાર હશે?
શ્વાસ થંભે જો કંઠ મહી,
અલગારી આત્મ કેમ જશે?
જાગૃતિ રાઠોડ.
ભાવનગર.