#Kavyotsav2
વાત એ નથી કે હું ખર્ચાયો નથી
પણ અમુક લોકોથી સચવાયો નથી
ગુસ્સો, પ્રેમ અને નફરત કરી જાણું છું
પણ હું રઘવાયો નથી !
નિષ્ઠાથી નિભાવી દીધો એ સમય
અને ખોટાનો વિરોધ કરતાં હું
અચકાયો નથી
દુઃખ તો એ વાતનું છે કે સ્પષ્ટ હોવા છતાં
મોટાભાગના લોકોને સમજાયો નથી.
ત્યાં પણ હું મળીશ જ્યાં મારે ન હોવું
જોઈએ, પણ માની લે જો
અસત્યનાં રસ્તે હું ભટકાયો નથી
પોતાના જ ચશ્માં અને પોતાના જ
માપદંડ, મારી દ્રષ્ટિએ
સરખી રીતે હું મપાયો નથી.
વાત એ નથી કે હું ખર્ચાયો નથી
પણ અમુક લોકોથી સચવાયો નથી
@હાર્દિક રાવલ@