માનવીએ જયારથી આ ધરતી ઉપર પોતાનો જન્મ લીધો છે ત્યારથી તેને બીજાઓ સાથે દોસ્તી ને દુશ્મનના બીજ વાવ્યા છે જે કયારેય ખત્મ થઇ શકે તેમ નથી કારણકે તેના સ્વભાવમાં છે કે આને મારો આને કાપો જે સદાય આમજ ચાલ્યા કરશે તે કયારે બંધ નહી થાય કારણકે તેનો સ્વભાવ એ આમ જ બનેલો છે જે કયારેય બદલાવાનો નથી ને જો કયારેક બદલાશે તો આ દુનિયામાં નફરત કે અહિંસા ને બદલે કાયમ અમન શાન્તિ જ રહેશે પણ શું એ શકય છે ખરું! જી ના એ બની શકે તેમ જ નથી કારણકે આજનો ખોરાક પણ એ જ ઢબનો થઇ ગયો છે કે જેના ખાવાથી મગજને કયારેય શાન્ત કરી શકાય તેમ નથી આજે લોકો શાન્તિ મેળવવા માગે છે કારણ કે જીવન જીવવું પણ ઘણું જ કઠીન થઇ ગયું છે ઉપરથી આવી બદલાની ભાવના જે દેશ ને દુનિયા ને ખતમ કરી નાખે છે માટે આજે સોએ વિચારવાની જરુર છે કે આપણે બીજા સાથે દુશમની કરીને શું હાંસલ કરીએ છીએ! કંઇજ નહીં બસ આપણી તેમજ આપણા પરિવારની બરબાદી સિવાય કંઇજ મળતું નથી માટે જાગો ઇન્સાન જાગો જીવો પ્રેમ ભાવથી એક ભાઈચારાથી કંઇ લાવ્યા નથી ને કંઇ લઇ જવાના નથી...