સાંભળ્યું છે, થાય ભક્તિ ભગવાનની..
મારે કરવી,ભક્તિ સાચા શિક્ષણની...
મળે મોક્ષ મરણ બાદ, ઈશ્વરની ભક્તિ થકી..
મળે મોક્ષ સાચા જીવન માં, સાચા શિક્ષણની ભક્તિ થકી..
કોણે જોયો મરણ બાદનો મોક્ષ..
મે જોયો સાચા શિક્ષણ દ્વારા જીવન દરમિયાનનો મોક્ષ...
કરતા ભક્તિ જગતના નાથની
કદાચ મળી જાય ભગવાન
કરતા ભક્તિ વિદ્યાની,
મળી જાય જ્ઞાન, સંસ્કાર, સાચા મૂલ્ય..
હોય વિદ્યાની શક્તિ અને ભક્તિ ,
તો ઈશ્વર પણ આાવે મારી પરિક્ષા કરવા...