ઓનલાઇન જ આ વિચાર મૂકું છું પણ છતાં મૂકવો જ પડે એવું લાગે છે..
ઓનલાઇન ની આ દુનિયા એક દિવસ ખાવા દોડશે. માણસ લાગણીહીન થઈ જશે અને થાય જ છે.
લોકોમાં સહનશક્તિ ઓછી થતી જાય છે એના ઘણા કારણો માં એક કારણ આ સોશ્યલ મીડિયા પણ હું માનું છું.
જેટલી સારી આ ઓનલાઇન દુનિયા છે એટલી જ છીછરી પણ લાગે છે.
એવું નથી કે ખરાબ જ છે, સારું તો ગણાવીને થાકી જવાય એટલું છે.
દુનિયા ભરના લોકો સાથે સંપર્ક કરી શકાય, એમને સાથ સહકાર આપી શકાય, ઘણાય તો ઓનલાઇન જ ગોતી કાઢે છે (એનોય રંગ અલગ છે), પણ આ ટેકનોલોજી ને કારણે માણસ બદલાય છે, માણસ નો સ્વભાવ, વર્તન, વાણી, સિદ્ધાંતો બધું જ બદલાય છે.
હું મારા શિક્ષક ને ફેસબુક રિકવેસ્ટ મોકલતા પહેલા ૨૦ વખત વિચાર કરતો, આજે બાળકો એવું વિચારતા નથી, કેમ કે એ લોકોએ એ કલ્ચર જોયું જ નથી.
પરિવર્તન થવું જોઈએ એ તો જરૂરી જ છે,
પણ માણસાઈ નું પરિવર્તન ના થાય ત્યાં સુધી સારું.
આ બધી ટેકનોલોજી નો સારો મહત્વનો ઉપયોગ કરીએ અને વિશ્વ ને આનંદ થી માણીએ.