Read my book 'અધુરા અરમાનો-૨૯' on MatruBharti App.
http://matrubharti.com/book/19860401/
અધુરા અરમાનો-૨૯
પ્રેમની સપ્રેમ ભેટ તરીકે પ્રેમલગ્નની ભવ્ય મંઝીલ મળે પછી પૂછવું જ શું? જાણે સ્વર્ગ મળ્યું!! દિવાનાઓને આનાથી વિશેષ જોઈએ જ છે શું? ભલે ભૂખા રહેવું પડે પણ ખપે તો મહોબ્બત જ! આવા જ તો આશિકોના મોંઘામોલા અરમાન હોય છે!
કોઈ ગમી જાય ને પછી એની સંગે પ્રેમાળ નજરો મળી જાય ત્યારે પ્રથમ શમણું સજાતું હોય છે કે કાશ! એ જીંદગી બનીને જીવનભર પડખે જ રહે! એ જ ખુદા, એ જ ખાવિંદ/ મોહતરમા ને એ જ જાણે અસ્તિત્વનો આધાર.
ગમતું મળી જાય પછી ભલેને ગજવો (ખીસ્સો) ખાલી હોય, દિવાનાઓ એની પરવા નથી કરતા. ભૂખે મરવું ચાલે પરંતું મહોબ્બત વિના ન ચાલે, એવા હોય છે આશિકો. આવા નખશિશ આશિકોની આલમ જબરી અલગારી હોય છે. આવા મસ્તાન આશિકોને કોઈ પૂછે કે ભાઈ શું કરે છે? તો 'બસ મહોબ્બત કરું છું.' જાણે પ્યાર જ સર્વસ્વ ન હોય! હાં, પ્યાર સર્વસ્વ જ છે. એના વિના જીંદગી જાણે વેરાન.
અ.રે.