દરેક વ્યક્તિ નાં જીવન મા એક પાત્ર એવું હોય છે, જે કોય પણ પરિસ્થિતિ હોય, ક્યારેય તમારો સાથ ન છોડે, કે ન તમારો વિશ્વાસ. મારા માનવા પ્રમાણે તો એ ભગવાન છે પણ પેલે થિ એક બીજુ નામ પણ અપાયું છે, બાપ. બધાં એ માં વિશે ઘણુ લખ્યું અને બાપ વિશે ઓછું. બાપ દિકરી નો એ અલગ હોય છે અને દિકરા નો પણ, પરંતુ એક સામ્યતા હોય છે એ વિશ્વાસ. દિકરી હોય કે દિકરો ક્યારેય એ વિશ્વાસ ન તૂટવા દેવો. કેમકે માં તો તેનાં હાથે જમાડી ને ય પોતાનો પ્રેમ દેખાડી શકે છે, પણ બાપ ની રીતો જ અલગ છે. એ પ્રેમ તો કરે છે પણ તેને દેખાડી નથી શકતા કે માંગતા ન હોય. છતા મહત્વ નો તો પ્રેમ જ છે ને.
સમય આવ્યે બાપ એ માં નું પાત્ર ભજવી જાય છે
પણ માં ને બાપ નું પાત્ર ભજવતા કદાચ જન્મારો ચાલ્યો જાય..