Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એ સનાતન સત્ય છે, પણ આજના સમયમાં પ્રેમએ મઝાક સિવાય બીજું કંઈ જ નથી... સંબંધ નવો નવો હોય ત્યાં સુધી આંખોની ચમક પણ જુદી હોય પણ એજ સંબંધ જો થોડો જૂનો થાય તો આંખો પણ બદલાવવા લાગે છે, એકબીજાની સામે કલાકો સુધી તાકી રહેતી એ આંખો કોઈ ત્રીજી વ્યક્તિને શોધતી થઈ જાય છે, અને ત્યારે ભારોભાર પછતાવો થાય છે કે પ્રેમ ખોટા વ્યક્તિ સાથે થઈ ગયો. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ પ્રેમ હોતો જ નથી, માત્ર અને માત્ર આકર્ષણ જ હોય છે.

ઘણાં લોકોને મેં જોયા છે જે પરણિત વ્યક્તિઓ પ્રત્યેના આકર્ષણને પ્રેમનું નામ આપે છે, પોતાનો પતિ અથવા પત્ની જો તેની લાગણીઓને ના સમજે એટલે એ વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિ માટે આકર્ષાય અને એને પ્રેમ માની લે છે પણ જ્યારે એ ત્રીજી વ્યક્તિ સાથે પણ ઝગડા થાય ત્યારે બંને એકબીજા ઉપર દોષના ટોપલા ઠાલવતા હોય છે, તો એવા પ્રેમનો શું મતલબ જેમાં તમે એકબીજાના ક્યારેય થઈ જ નથી શકવાના ? અને માનો કે પોતાનો પતિ અથવા પત્ની પોતાને સમજતા નથી અને તમારા જીવનમાં ત્રીજી વ્યક્તિની ખરેખર જરૂર છે તો એ વ્યક્તિ ઉપર તમે અધિકાર ક્યાં કારણથી કરો છો ? ના તમે એના જીવનમાં જઈ શકવાના છો ! ના એ તમને અપનાવી શકવાનો છે તો પછી શું કામ પોતાની જાતે જ દુઃખને આમંત્રણ આપીને બોલાવો છો. અને આવું થવાથી તમને દર વખતે એવું જ થશે કે હવે કોઈ ને જીવનમાં નથી આવવા દેવા અને કોની ક્યારે એન્ટ્રી થઈ જાય એ તમે પણ નથી સમજી શકતા, તમે દુઃખી થાવ અને ત્યારે કોઈ તમારા આંસુ લૂછે, તમને સહારો આપે, તમારી સાથે સારી સારી વાતો કરી એ તમારી નજીક આવવા જ મથે છે અને તમે એને લાગણી સમજીને એના ઉપર વિશ્વાસ મૂકી દો છો, પણ એ વિશ્વાસ નહિ છૂપો સ્વાર્થ હોય છે, જે તમને તરત નહિ સમજાય જ્યારે એજ વ્યક્તિથી તમને તકલીફ થશે ત્યારે સમજાશે.. પણ ત્યારે કદાચ ઘણું જ મોડું થઈ ગયું હશે, અને પછી રડવા સિવાય કે દુઃખી થયા સિવાય તમારી પાસે કોઈ રસ્તો બચ્યો જ નહીં હોય. 

કહેવાનું એટલું જ કે ખરાબ સમયમાં કોઈ એવો નિર્ણય ના કરી લો જેના દ્વારા એ નિર્ણય ઉપર પછતાવવા સિવાય તમારી પાસે કઈ જ ના હોય, સારા મિત્રો બનાવો, જે તમને સમજી શકે, સાથ આપી શકે, પણ આ પ્રેમની માયાજાળમાં ફસાઈ અને જીવન શું કામ બરબાદ કરવું ? પ્રેમ કરવો ખોટો નથી, પણ તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ કેવું છે તે ખૂબ જ મહત્વનું છે.

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111026735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now