વેદાંત મત પ્રમાણે, આ શરીર નાં ત્રણ વિભાગ છેઃ
1 સ્થૂળ શરીર
2 સુક્ષ્મ શરીર
3 કારણ શરીર
1, સ્થૂળ શરીર પાંચ તત્વ નું બનેલું છે
પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ.
2, સુક્ષ્મ શરીરનાં પણ ચાર વિભાગ છે.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર..
3, કારણ શરીર, નું બધાંરણ આ પ્રમાણે છેઃ
સંચીત કર્મો, મૂળ પ્રકૃતિ, સ્વભાવ,સંસ્કાર, વૃત્તિઓ.. અનુભૂતિઓ, ...ધારણાઓ, અને માન્યતાઓ........... .........આત્મા એ મૂળ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે.......
જેનાં પર મળ વિક્ષેપ અને આવરણો આવી જવાંને કારણે , એનો આપણને અનુભવ થતો નથી...જેનાં પર રહેલા આ મળ વિક્ષેપ આવરણો દુર થઈ શકે છે...
અંત કરણ ને વિશુદ્ધ કરવા થી આત્મા નું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકાય...
........... જ્ઞાન ને લાંબા સમય સુધી કર્મયોગનોજીવન મા કર્મ કરી તેનાં દ્વારા કર્મ નેં આચરણમાં મુકવામાં આવે, તથા ઉત્સાહ સાથે નામ સ્મરણ ભાવના સહીત કરવાંમા આવે....તો.મન પર ના આ આવરણો દુર થાય....
........... જ્ઞાન મેળવા સાધનો... ..........
અંતકરણ, અનુભવ,
શાસ્ત્રો, ગુરૂજન, અને પ્રકૃતિ આ પાંચો ને સાક્ષી ભાવે , ઉત્કૃષ્ટતાં થી નિરીક્ષણ કરાય, તો....લાંબાં સમયે જ્ઞાન પ્રાપ્ત થાય..જેનાં થી અંતકરણ નાં મેલ, વિક્ષેપ, તથા આવરણો દુર થાય છેઃઅને આત્મા નું એક આત્મભાવ પ્રગટી જાય...
અસ્તુ....