Miss kalavati - 18 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 18

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 18

6 - 8 માસના ટૂંકા ગાળા માં જ કચ્છ બ્રાન્ચ કેનાલની જમીન સંપાદન થઈ ગઈ. અને જેમના નામે જમીન હતી તે ખેડૂતો ને, છેલ્લા થયેલ જમીન વેચાણ ના દસ્તાવેજ ના આધારે 'જંત્રી' પ્રમાણે સરકારી 'ચેક' પણ આપી દીધા. આમ એક વર્ષના ટૂંકા ગાળામાં જ કલાવતીના માણસોએ યોજનાબદ્ધ તેમનું મિશન પાર પાડીને, રૂપિયા 230 કરોડ માંથી રૂપિયા ૧૨૦૦ કરોડ નું સામ્રાજ્ય  કરી લીધું હતું.   આમાં કલાવતી સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવી ન હતી. તે આ બધી જ બાબતોથી 'અલ્પિત' જ રહેતી હતી . તે રાજકારણ અને લોકોની સેવા નાં કામો કરવામાં એટલી ગળા ડૂબ થઈ ગઈ હતી કે , તેણી ને શ્વાસ લેવાની પણ ફુરસદ ન હતી. છતાં ગુપ્ત રીતે પોતાનું કામ સંભાળતા માણસોના તે સતત સંપર્કમાં રહેતી હતી. અને આ પ્રથમ કામની સફળતા પછી તેણી નો અને તેણી નું કામ સંભાળ તા માણસો નો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો હતો. 
  પોતાનું એ 'મહાસ્વપ્ન સિદ્ધ કરવા માટે કલાવતી અત્યારે 'ડબલ' નહીં પરંતુ 'ત્રીપલ' રોજ રોલ ભજવી રહી હતી. તેનું પ્રથમ 'રૂપ' હતું તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે  નું, એટલે કે 'રાજકારણી'નું અને તે'રૂપ' જગ જાહેર હતું. જે અત્યારે તે સુપેરે નિભાવી રહી હતી . તેનું બીજું' રૂપ 'હતું 'સાધ્વી આશા' દેવી નું. જોકે તેનું આ રૂપ કેશારામ બાપુના સેવકો -સાધકો, અને ગુજરાતમાં ના તેમના આશ્રમો માં રહેતા સેવકો અને શિષ્યો પૂરતું સીમિત હતું.  કામ ની વ્ય સ્તતા વચ્ચે પણ દર દશ કે પંદર દિવસે તેણી આશ્રમ ની મુલાકાતે અચૂક જતી. અહીં તેના માટે એક અલગ સાધના કૂટીર હતી. અહીં આવતાં ની સાથે જ તે ' સાધ્વી આશા દેવી' બની જતી.  અહીં તેની કુટીર માં તેણી ત્રણ- ચાર કલાક બાપુ એ શીખવેલા મંત્ર પ્રમાણે યોગ -સાધના કરતી. તો ક્યારેક બાપુ સાથે ગાડી માં બેસીને અન્ય આશ્રમો ની મુલાકાતે પણ જતી.  આ તેનું બીજું 'રૂપ 'હતું .
  જ્યારે તેના ત્રીજા 'રૂપ' વિશે તેના અંગત જૂજ માણસો સિવાય બીજા કોઈને પણ ખબર ન હતી .તે ત્રીજા રૂપ માં તેણી તેનું ગુપ્ત 'બિઝનેસ સામ્રાજ્ય'  ગુપ્ત રીતે વિસ્તારે જતી હતી. તેના માટે વિશ્વાસુ અને પ્રોફેશનલ માણસોને તેણીએ ઊંચો પગાર આપીને રોકી ને કામે લગાડી દીધા હતા. 230 કરોડ માંથી બારસો કરોડો ઊભા કર્યા. એમાં બહુ હરખાવાની જરૂર ન હતી. કારણ કે હજુ તો દિલ્હી ઘણું દૂર હતું. પરંતુ આ સફળતાથી કલાવતી અને તેના માણસો નો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો .
   જી. વિશ્વનાથન પાસેથી મળેલા 'ડોક્યુમેન્ટ' ના આધારે કલાવતી એ એ વાત જાણી લીધી હતી, કે' સરકાર અમદા વાદ નો ઝડપી વિકાસ કરવા કટિબધ્ધ છે. અને તે માટે કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે છે, અમદાવાદ નો ' ગીચ ટ્રાફિક'. અને આ 'ગીચ ટ્રાફિક'ની સમસ્યાને ને હલ કરવા માટે સરકારે અમદાવાદની ચારે બાજુ ફરતો 76 કિલોમીટર લાંબો 'રિંગ રોડ' બનાવવાનું સરકારે આયોજન કર્યું હતું .
  કલાવતી ના માણસોએ આ વખતે જમીન ખરીદવા ની 'ટેકનીક'માં થોડો ફેરફાર કર્યો . તેમણે 'રીંગરોડ'ના કમાન્ડ એરિયામાં આવતી જમીન ના બદલે તેની 'બંને સાઈડ 'માં આજુ-બાજુમાં રોડ નેં અડીને આવેલી જમીનો ખરીદવાનું ચાલુ કરી દીધું. ખેડૂતો ને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. કે' અહીં ટૂંક સમયમાં જ આવડો મોટો 'રિંગ રોડ' નીકળવાનો છે .અને લાખોની તેમની જમીન કરોડોની થઈ જશે.  તેથી બજારભાવ કરતાં વધુ ભાવ મળવાથી ખેડૂતોએ તેમની જમીન હોંશે-હોંશે વેચી દીધી .
  'બારસો કરોડ' રૂપિયા'માં '76' કિલોમીટર લાંબા 'રીંગ રોડ'ની આજુ-બાજુની, બધી જ જમીન તો આ લોકો ખરીદી શકે તેમ ન હતા. પરંતુ એ 'રિંગ રોડ'ની સાઈડ'માં જ્યાં- જ્યાં 'મોકા' ની. અને સસ્તી મળે તેવી જમીન હતી તે' તેમણે પોતાના બજેટ પ્રમાણે ખરીદી લીધી.  અને તેના પાકા 'રજીસ્ટર દસ્તાવેજ' પણ કરાવી લીધા. થોડા મહિના પછી 'રિંગ રોડ' ની જમીન પણ સંપાદન થઈ અને તેનું કામ ચાલુ થયું ત્યારે જ જમીને વેચનાર ખેડૂતોને ખ્યાલ આવ્યો, કે' તેમણે જમીન ખોટી  વેચી છે. પરંતુ હવે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકે તેમ ન હતો .
   'કલાવતી' નું કામ સંભાળતા લોકોની ખબર હતી. કે આ વખતે 'વળતર' મળવામાં સમય લાગવાનો છે. પરંતુ એક વખત 'રીંગરોડ' પૂરો તૈયાર થઈ ગયા પછી તેમણે ખરીદેલ જમીન ,જો 'પ્લોટ' બનાવીને વેચે તો તેનાં 'વીસ' ગણા, અને જો 'ટાઉનશીપ' કે અન્ય 'બિલ્ડીંગો' બનાવીને વેચે તો તેના 50 ગણા નાણાં તેમાં થી પેદા થવાનાં છે. આ બધી જ પ્રવૃત્તિથી કલાવતી ગુપ્ત રીતે જાણકાર રહેતી હતી. પરંતુ જાહેર માં ક્યાંક ચિત્રમાં આવતી ન હતી. અને આ કલાવતી નું ત્રીજું 'રૂપ' હતું .
   ગુજરાત સરકાર માં એવો નિયમ છે, કે' ગુજરાત વિધા નસભામાં, પ્રથમ વખત 'ધારાસભ્ય' તરીકે કોઈ ચૂંટાય, અને પાંચ વર્ષની 'ટર્મ' પૂરી કરે. તો રાજ્ય સરકાર તરફથી ગાંધીનગરમાં જ 'પોશ' વિસ્તારમાં તેમને મફત ' પ્લોટ' ફાળવવા માં આવતો  હતો.  તેવા જ એક ધારાસભ્ય ને સેક્ટર- 21 માં એક 'પ્લોટ' મળેલો હતો. તે ધારાસભ્ય ની આર્થિક પરિસ્થિતિ, તે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવા સક્ષમ ન હોવાથી, કલાવતી ના માણસો એ તેમની પાસેથી બજાર ભાવ કરતાં ઘણી ઊંચી કિંમત આપીને, તે 'પ્લોટ' ખરીદી લીધો હતો.  અને તેના ઉપર ભવ્ય બંગલો બનાવ વા માટેનું બાંધકામ પણ આ લોકોએ ચાલુ કરી દીધું હતું.
   ડી. એસ. એ નાની ગાડીઓની લાઇન હવે બિલકુલ બંધ કરી દીધી હતી. તે આબુરોડ બેઠાં -બેઠાં ગુજરાતના કોઈ પણ ખૂણે 'ટ્રક' ભરીને 'ઇંગલિશ પેટીઓ ' પહોંચાડવાનું હેન્ડલિંગ કરતો હતો. તેનું નેટવર્ક આખા ગુજરાત રાજ્યમાં વિસ્તરેલું હતું .જેમાં દર મહિને હપ્તો કાઢતાં પણ કરોડોની કમાણી થતી હતી. પરંતુ એકલા પૈસા માટે જ ડી.એસ.એ આ ધંધો ચાલુ નહોતો રાખ્યો. પૈસાની તો તેમને હવે કોઈ કમી ન હતી. પરંતુ આ ધંધા દ્વારા ગુજરાત ભરના ખૂણા- ખૂણાના બુટલેગરો અને માથાભારે માણસોનો સતત સંપર્ક જળવાઈ રહે તે જરૂરી હતું. કારણ કે કલાવતીના રાજકા રણ માટે, ભવિષ્યમાં તેમનો ઉપયોગ કરવાનો હતો .
   એનો અર્થ એ ન હતો કે, કેશારામ બાપુ સાથે સંપર્કમાં આવ્યા પછી કલાવતીએ વી.કે. બારોટ સાહેબ સાથે નો સંપર્ક બિલકુલ કાપી નાખ્યો હતો. કેશારામ બાપુ તો તેણી ને આર્થિક સામ્રાજ્ય વધારવાના પ્રથમ ચરણમાં માત્ર મદદ કર્તા જ હતા.  પરંતુ રાજકારણના આટા-પાટા માં તો કલા વતી ને બારોટ સાહેબની આંગળી પકડીને જ સફળતાનાં સર્વોચ્ચ શિખરે પહોંચવાનું હતું. તેથી ફોન દ્વારા સમયાંતરે તેણી તેમના સતત સંપર્કમાં રહેતી હતી. અને તેણીએ કરેલ પ્રગતિ થી બારોટ સાહેબને વાકેફ રાખતી હતી .
  અચાનક ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી અને દરેક પક્ષની મિટિંગો, અને સંમેલનો નો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો. દરેક પક્ષના ટિકિટ વાંછુક ઉમેદવારો એ પોતાના 'બાયોડેટા' ની પાંચ -પાંચ નકલો બનાવી ને , એક નકલ તાલુકા પક્ષના પ્રમુખને, બીજી નકલ જિલ્લા પક્ષ પ્રમુખને, ત્રીજી નકલ પ્રદેશ પ્રમુખને, અને ચોથી નકલ દિલ્હી રાષ્ટ્રીય પ્રમુખને ,પહોંચાડીને પોતાની ટિકિટની માગણી કરી હતી. અને પાંચમી નકલ પોતે ટિકિટ માંગી છે તેની સાબિતી માટે પોતાની પાસે ફાઇલ માં રાખી હતી .
દરેક જિલ્લા મથકે જે તે પક્ષના નિરીક્ષકો આવતા હતા. તે ટિકિટ વાંચછુકોને મળીને રૂબરૂ સાંભળતા હતા. કઈ બેઠક ઉપર કયો ઉમેદવાર ચાલશે. તેના કાર્યકરો અને પક્ષ ના 'હોદ્દેદારો' પાસેથી સેન્સ લેતા હતા. ને તે ચાલશે તો કયા કારણસર ચાલશે ?' અને નહીં ચાલે તો કયા કારણ થી નહીં ચાલે ?' તેની પણ માહિતી લેતા હતા. અને બધા જ કાર્યકર્તાઓ અને આગેવાનોની રજૂઆત સાંભળતા હતા. પોતાના જ ઉમેદવારને ટિકિટ મળે તે માટે ભલામણ કરવા અને લોબિંગ કરવા, કાર્યકર્તાઓ ઉમેદવારના સમર્થકોના ટોળે-ટોળાં, જિલ્લા કક્ષાએ, અને પછી પ્રદેશ કક્ષાએ, ઉમટી પડ્યાં હતાં . અને પોતાના જ ઉમેદવાર ને ટિકિટ આપવા માટે ઉગ્ર રજૂઆત કરતાં હતાં .
   આ બધાની વચ્ચે કલાવતી એ પણ ડીસા વિધાનસભાની ટિકિટ ની માગણી કરી હતી. પરંતુ તેણી પક્ષ ના નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં, કે પોતાના માણસો પાસે પોતાની  ભલામણ કે લોબિંગ કરાવવા માં ક્યાંય પણ પડી ન હતી. નિરીક્ષકો એ તેમની પાસે આવેલ ટિકિટ વાંચછુકો ની યાદી તેમના અભિપ્રાય સાથે પ્રદેશ કક્ષાએ પહોંચાડી દીધી હતી. હવે મામલો પ્રદેશ કક્ષાએ હતો .ટૂંક સમયમાં માં જ 'પ્રદેશ પાર્લામેનટરી' બોર્ડ ની બેઠક મળવાની હતી.અને તેમાં દરેક વિધાનસભા બેઠક ઉપર ત્રણ- ત્રણ ઉમેદવારના નામ ની 'પેનલ ' બનાવીને તે નામો દિલ્હી 'હાઈ કમાન્ડ' ને મોકલ વાનાં હતાં . અને છેલ્લે 'દિલ્હી હાઇકમાન્ડ'એ ત્રણ'માંથી એક ઉમેદવારના નામની 'ફાઇનલ' પસંદગી કરી ને તેની ઉપર મંજૂરી ની 'મહોર' મારીને દિલ્હીથી જ તે ઉમેદવાર ના નામની ઘોષણા કરવાની હતી. 
      ટિકિટ પસંદગીની પ્રક્રિયા જેમ- જેમ આગળ વધતી ગઈ. તેમ- તેમ લોકોમાં ઉત્તેજના વધતી ગઈ ટિકિટ માગેલ કેટલાક ઉમેદવારો અને કેટલીક મહિલાઓ પ્રદેશ કક્ષા ના કેટલાક ઉચ્ચ નેતાઓને ખાનગીમાં મળીને પોતાને જ ટિકિટ મળે તે માટે રજૂઆત પણ કરી આવી હતી. તો કેટલાક ઉમેદવારો અને કેટલીક મહિલાઓ તો છેક દિલ્હી જઈને હાઈ કમાન્ડમાં પોતાનું વજન ધરાવતા મોટા નેતાઓ ને 'ખાનગી'માં મળીને તેમને જ ટિકિટ મળે તેવી રજૂઆત કરી આવ્યાં હતાં .અને તેમની 'સરભરા' પણ કરી આવ્યાં હતાં .
  ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું હતું. ક્યાંક અપક્ષો એ, તો ક્યાંક કહેવા પૂરતા અજાણ્યા પક્ષના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભરવાનું ચાલુ પણ કર્યું હતું .પરંતુ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રતિસ્પર્ધી એવા બે રાષ્ટ્રીય પક્ષોએ તેમના ઉમેદવા રોની જાહેરાત હજુ નહોતી કરી . અને આ પણ રાજકીય વ્યૂહરચના નો એક ભાગ જ હતો .
પોતાના પક્ષનો ઉમેદવાર પહેલાં જાહેર નહીં કરવાનું એક કારણ એ,કે' વિરોધ પક્ષ વાળા તેમનો ઉમેદવાર જાહેર કરે તો,પોતાના પક્ષનો કયો ઉમેદવાર તેની સામે જીતી શકે. તેનું 'સમીકરણ' ગોઠવીને પોતાના પક્ષનો ઉમેદવાર મૂકી શકાય અને બીજું કારણ એ કે' બંને પક્ષમાં એક- એક સીટ ઉપર ઘણા- બધા ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હતી. જો વહેલો ઉમેદવાર જાહેર કરવામાં આવે તો,  જેને ટિકિટ ન મળે તેવા મજબૂત ટિકિટ વાંચછુકો પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે.  અથવા તો કોઈ સોદા -બાજી કરી વિરોધ પક્ષમાં જોડાઈ જાય . આવો કોઈ સમય એ' નેતાઓ ને ન મળે એવી પણ પક્ષ ની ગણતરી રહેતી હતી.
  સત્તાધારી પક્ષના 'દિલ્હી હાઈ કમાન્ડે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી.જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના જિલ્લાના ઉમેદવારનાં નામ જાહેર થયાં હતાં . બીજા દિવસે મધ્ય ગુજરાત, કચ્છ, અને ઉત્તર ગુજરાતના જિલ્ લાના ઉમેદવારોની યાદી બહાર પડી. અને સૌના આશ્ચર્ય વચ્ચે 'ડીસા'  વિધાનસભા ની બેઠક ઉપર ઉમેદવાર તરીકે 'કલાવાતી' નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. લોકો ને ભલે નવાઈ લાગી.પરંતુ કલાવતી ને મન તેમાં કોઈ આશ્ચર્ય જેવી વાત ન હતી.  તેણીએ ટિકિટ ની માગણી કરી ત્યાર થી જ તેને પૂરો ભરોસો હતો, કે' પોતાના 'ગોડ ફાધર' બારોટ સાહેબ દિલ્હી 'હાઇકમાન્ડ' માં બેઠા છે. ત્યાં સુધી તેની ટિકિટ કાપવાની કોઈની પણ તાકાત નથી .
    કલાવતી નું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં જ,' ડીસા વિધાનસભા મત વિસ્તારમાં હલ-ચલ મચી ગઈ . ટિકિટ માગનાર પક્ષના અન્ય સિનિયર આગેવાનોનો રોષ ભભુકી ઉઠયો. કોઈ દિવસે એકબીજા સાથે બોલવાનો પણ વહે વાર ન હતો. તેવા બધા જ ટિકિટ માગનાર અસંતુષ્ટો એક મંચ ઉપર ભેગા થઈ ગયા. અને તેમણે નવી- સવી' કલાવ તી' ને ટિકિટ આપવા ના બદલે, તેમનામાંથી જ કોઈ પણ એક ને ટિકિટ ફાળવવાની, પ્રદેશના અને દિલ્હીના નેતાઓ ને રૂબરૂ મળીને રજૂઆત કરી. અને આ પૈકીના કોઈને પણ ટિકિટ આપશો તો તેમણે 'સીટ' જીતાડી આપવાની પણ એ લોકોએ ખાતરી આપી .
    પરંતુ હાઈ કમાન ટસ નું મસ ન થતાં અસંતુષ્ઠો એ 'કલાવતી' ની ટિકિટ નહીં બદલવામાં આવે તો પક્ષને મોટું નુકસાન થશે. અને આ 'સીટ' ઘણા મતથી હારી જઈશું, અથવા તો હરાવી દઈશું. એવી ગર્ભિત ધમકી પણ આપી. અને તે હાર ની સંપૂર્ણ જવાબદારી મોવડીમંડળ ની રહેશે. તેવી પણ પક્ષ નેં ચીમકી આપી.  નેં કલાવતી ને ટિકિટ ફાળ વવા ના વિરોધમાં પક્ષના બે- ત્રણ હોદેદારો એ પક્ષ માંથી રાજીનામાં પણ આપી દીધાં .  આટલા બધા ધમપછાડા કરવા છતાં ટિકિટ માં કોઈ ફેરફાર ન થયો. કારણ કે દિલ્હી થી હાઇકમાન્ડ ની મહોર 'કલાવતી ' ના નામ ઉપર લાગી ગઈ હતી .
   કલાવતી ને ટિકિટ મળવાથી પક્ષના સિનિયર આગેવાનો ભલે નારાજ થયા હતા. પરંતુ ડીસા તાલુકાની પ્રજા અને પક્ષના નાના કાર્યકરો ખૂબ જ રાજી થયા હતા. અને એનું કારણ તેણી એ 'ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ'  તરીકે છેલ્લા ચાર વર્ષથી કરેલો વહીવટ હતો.  જેમાં તેણીએ કોઈપણ માણસ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સત ત લોકોનાં અને પ્રજાનાં કામ કર્યા હતાં .
   પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કલાવતી એ બધા જ સિનિયર આગેવાનોને હાજર રહેવા માટે આદર સાથે આમંત્રણ પાઠવ્યું .છતાં કેટલાક આગેવાનોએ ફોર્મ ભરતી વખતે તેના સાથે હાજર રહેવાનું ટાળ્યું હતું . અને જુનિયર આગેવાનો અને કાર્યકરો ની પ્રચંડ જનમેદની સાથે 'કલાવ તી' એ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું .
    ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત જ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ડીસા વિધાનસભા બેઠકો પર બે અપ ક્ષ ઉમેદવારો, ત્રણ બહુ ઓછા જાણીતા પક્ષના ઉમેદવારો અને બે મુખ્ય પક્ષના ઉમેદવારો મળી કુલ સાત ફોર્મ માન્ય રહ્યાં હતાં . કુલ સાત ઉમેદવારો ચૂંટણી લડતા હતા. પરંતુ કલાવતી ની ખરી હરીફાઈ ડીસા ની પ્રજાના 'હૃદય સમ્રાટ' કહેવાતા વિરોધ પક્ષના ઉમેદવાર ભાનુશંકર મહેતા સામે હતી. ભાનુશંકર મહેતા એ વખતે ડીસા માં મોટું માથું કહે વાતું હતું. ને રાજકારણ તેમને વારસામાં મળ્યું હતું. ડીસા વિધાનસભા મત વિસ્તારમાં કોઈ ગામ એવું ન હતું, કે' જ્યાં ભાનુશંકરનો સંપર્ક ના હોય. કે તેના અંગત માણસો બેઠા ન હોય !'       ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારોએ તેમનો પ્રચાર ચાલુ કર્યો. શરૂઆતથી જ ભાનુશંકર નું આયોજન ચડિયાતું હતું. અને તેમનું પ્રચાર તંત્ર પણ તેજ દેખાતું હતું. અને તેમાં મુખ્ય ભૂમિકા કલાવતી ના પક્ષના સિનિયર આગેવાનો ની નિષ્ક્રિયતા ની હતી. કલાવતી એ જોઈ લીધું કે, જો 'તેમના ભરોસે ચૂંટણી લડીશું ,તો ચોક્કસ હાર જ મળવાની છે .
   કલાવતી એ તરત જ એક્શન લઈ જુનિયર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓની એક નવી જ 'કેડર' ઊભી કરી દીધી. ને તે યુવાનોને પ્રચાર કાર્યમાં જોતરી દીધા. અને પ્રચાર તંત્ર અને 'આયોજન 'ની બધી જ ધુરા એ યુવાનોના હાથમાં સોંપી દીધી. અને આમ કરવાથી તો સિનિયરોનો સ્વમાન વધુ ઘવાયું . કલાવતી ની સાથે રહીને પણ કોઈ પણ ભોગે તેને હરાવવાનો તેમણે મનમાં નિર્ણય કર્યો. પરંતુ પ્રજા કલાવતી એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કરેલાં કામો અને વહી વટ થી ખૂબ જ ખુશ હતી. અને તેથી જ તેની સાથે હતી. 
   બારોટ સાહેબના આદેશ થી જિલ્લાભરમાં થી આવીને તેમના સમર્થકો કલાવતી ના પ્રચારમાં લાગી ગયા હતા. ડી. એસ.ના કહેવાથી બનાસકાંઠા અને આજુબાજુ જિલ્લાના બધા જ 'બુટલેગરો' અને તેમના માણસો અહીં આવી ને કલાવતી ના પ્રચારમાં લાગી ગયા. તો કેશારામ બાપુ ની સૂચના થી બનાસકાંઠા અને આજુબાજુના જિલ્લામાંથી આવીને તેમના સેવકો અને 'શિષ્યો' પણ કલાવતી ના પ્રચારમાં લાગી ગયા. 
   ભાનુ પ્રસાદ પોતાને ડીસા ની પ્રજાના હૃદય સમ્રાટ માનતા હતા . અને મોટી મીટીંગો, અને નાની સભા ઓ માં પોતે પ્રચાર કરતાં કહેતા હતા. કે, ' ડીસા મત વિસ્તારમાં શાંતિ, સલામતી, અને વિકાસ જોઈતો હોય તો તમે મને જ 'મત' આપજો !' સાથે જ તેમને કલાવતી ના 'ભૂતકાળ'ને પણ ફંફોસી લીધો હતો.  તેઓ કલાવતી ની છબી ખરડવા માટે જાહેર સભાઓમાં ખુલ્લેઆમ કહેતા.' એક સમયે ડીસા માં ખુલ્લેઆમ દારૂ નો અડ્ડો ચલાવતી,  દારૂ વેચવાવાળી છોકરી ને તમે શું તમારી 'ધારાસભ્ય' બનાવશો ?' કદાચ આવી ખરડાયેલી છબી વાળી છોકરી જો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે . તો ડીસાની પ્રજાની હાલત કેવી થાય !'  તે તમે કલ્પી શકો છો ?' જો કલાવતી 'ધારાસભ્ય'  તરીકે ચૂંટાઈ આવશે તો, ડીસા માં બુટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બનશે. ખુલ્લેઆમ સડકો ઉપર જાહેરમાં દારૂ અને જુગાર ના અડ્ડા ખૂલશે. ડીસા માં કાયદો અને વ્યવસ્ થા નું નામ- નિશાન નહીં હોય . અને તમારી બહેન- દીકરી ની ઈજ્જત પણ સલામત નહીં હોય .તમારે શું ધારાસભ્ય તરીકે આવો 'પ્રતિનિધિ' જોઈએ છે ?'
  પરંતુ ડીસા મતવિસ્તારની પ્રજાને કલાવતીના ભૂતકાળમાં નહીં, વર્તમાનકાળ માં રસ હતો.  ને છેલ્લા ચાર વર્ષ માં તેણીએ જાહેર જીવનમાં 'પ્રમુખ'તરીકે કરેલાં લોકો નાં કામો, તેની વાણી, તેનું વર્તન , અને સ્વભાવ લોકો સામે પ્રત્યક્ષ હતો. એક પૈસો લીધા વિના ગામે- ગામ બનાવી આપેલ દૂધ, અને સેવા સહકારી મંડળીના ચેરમેનો અને મંત્રીઓ પણ કલાવતીના પ્રચારમાં કામે લાગી ગયા હતા .
  ચૂંટણી પ્રચારમાં કલાવતી ની ક્યાંય પણ નાની સભા હોય કે મોટી સભા હોય, તેણીને સાંભળવા લોકોનાં ટોળે-ટોળાં ઉમટી  પડતાં હતાં .  સભામાં કલાવતી પ્રવચન આપવા હંમેશા ગુલાબી, વાદળી, યલો, કે મશરૂમ કલરની સાડી માં સજ્જ થઈને જ આવતી . પોતાના લાંબા કાળા ,મુલાયમ વાળ ,માથા ના પાછળના ભાગે, ગરદન ઉપર બે બકલો માં ફીટ કરી ,પછી પીઠ ઉપર ખુલા લહેરાતા મૂકી દેતી. કાનની બુટો માં નાનાં ગોળ સોનાનાં હીરા જડીત ઝુમ્મર પહેરી ને પોતાના રૂપા ની 'ઘંટડી' જેવા મીઠા અવાજ માં તેણી પ્રવચન ચાલુ કરતી .
   પ્રવચન માં તેણી સૌપ્રથમ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભા વો નાં સિન્યુરીટી પ્રમાણે નામ લેતી. તેમાં નામ લીધા વિના કોઈ રહી તો નથી ગયું ને તેની નજર ફેરવી ને ખાત્રી કરી લેતી. અને પછી કહેતી. 'વહાલા વડીલો, માતાઓ, ભાઈ ઓ ,અને બહેનો .આપ સૌના આશીર્વાદથી પક્ષે મને ડીસા વિધાનસભાની ટિકિટ આપી છે. અને મેં ઉમેદવારી નોંધાવી છે. મારો વહીવટ, વર્તન, કામગીરી, અને સ્વભાવ તમારા સામે ખુલ્લો છે. અને હું ગર્વ થી કહી શકું છું, કે' મારા જાહેર જીવનમાં આજ દિવસ સુધી કોઈ પાસેથી મેં કામના બદલામાં એક પણ રૂપિયો લીધો નથી.' અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. જો તમે મને 'ધારાસભ્ય' તરીકે ચૂંટીને મોકલશો તો હું આપને વિશ્વાસ અપાવું છું કે લોકોનાં કામ માટે મારા ઘરના દરવાજા -24 કલાક ખુલ્લા રહેશે. હું આપની સેવામાં સદાય હાજર રહીશ. અને તમે મારા ઉપર મૂકેલો વિશ્વાસ કોઈપણ ભોગે હું તૂટવા નહીં   દઉં .  જો તમારે આપણા 'ડીસા' મત વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવો હોય તો,' મને તમારી બહેન ગણી ,તમારી દીકરી ગણી , મને મત આપવા આપને બે હાથ જોડીને વિનંતી કરું છું !'
  કલાવતી ની સભામાં કલાવતી ને સાંભળવા જનાર લોકો તેને જોયા પછી, તેનું ભાષણ સાંભળ્યા પછી, તેને જ મત આપવાનું મનમાં નક્કી કરતા હતા. જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પ્રચાર જ તેજી પકડી. રોજ સાંજ પડે અને દરેક ગામમાં ઈંગ્લીશ દારૂની પેટી ઓ આવી જતી. દરરોજ ગામના 80 થી 100 જેટલા યુવાનો ભેગા થઈ છાંટા -પાણી ની સાથે 'ગોટા' અને 'ચવાણા'ની લીજજત માણતા હતા. કોઈ મેલડી માંના તો કોઈ કુળદેવી ના સોગન ખાઈ ને પોતે 'કલાવતી'ને જ મત આપશે અને અપાવશે!' તેવા સોગંદ ખાતા હતા. વિરુદ્ધ પક્ષવાળા એ ખૂબ ચોકી - પહેરો કર્યો. અને ખૂબ તપાસ કરી. કે ' આ બધું આવે છે ક્યાંથી ?' અને પહોંચાડે છે કોણ ?'  પરંતુ ઘણી મહેનત કરવા છતાં તેમને એ જાણવામાં સફળતા મળી ન હતી .
    'મતદાન'ના આડે હવે એક અઠવાડિયું જ રહ્યું હતું. કલાવતી એ ખાનગીમાં પોતાની પરિસ્થિતિની સમીક્ષા કરી. ચિત્ર હજુ સ્પષ્ટ ન હતું .અને પોતાની જીત ની કોઈ પાકી ગેરંટી ન હતી. બારોટ સાહેબે તેને એક મંત્રી આપ્યો હતો. કે' 'તક' અને 'લક'એક સિક્કાની બે બાજુઓ છે . જો મળેલી 'તક'ને ઝડપી લેવામાં ન આવે, તો 'લક' સામેથી આવી ને એમને એમ ખૂલતું નથી .
    પક્ષના ઘણા સિનિયર અને નારાજ આગેવાનો ને તેણી એ પ્રચાર-તંત્ર અને ચૂંટણીની વ્યૂહરચના રચનાથી દૂર રાખ્ યા હતા. છતાં પણ હજુ હરિભાઈ અને લીલાભાઈ જેવા કેટલાક આગેવાનો ભેગા ભળી  જઈ ને રજે-રજની માહિ તી અને વ્યૂહરચના વિરોધ પક્ષને પહોંચાડતા હતા. કલા વતીએ એ પણ જોઈ લીધું હતું. કે' ચૂંટણીમાં સૌથી મોટું પરિબળ ભાગ ભજવતું હોય તો, તે 'જ્ઞાતિવાદ' નું હતું . 'કોમવાદ' ના સહારા વિના આ સમયમાં ચૂંટણી જીતવી શક્ય જ ન હતી .
   કલાવતી એ જોયું કે પોતાના એલ.સી. માં તેનું નામ કલાવતી બહેન રણજીતભાઈ સોલંકી હતું.મતદાર યાદીમાં પણ એ જ નામ હતું .અને ઉમેદવારથી પત્ર પણ એ જ નામ થી જ ભરેલું હતું.  પોતાનો અભ્યાસમાં તેણી એ એમ.સી.એ. સુધીનો બતાવ્યો હતો. અને એમ.સી.એ. પાસ ની માન્ય યુનિવર્સિટી ની પ્રમાણિત નકલ પણ ઉમેદવારી ફોર્મ સાથે જોડી હતી . 
  શાળા ના એલ.સી. માં કેટલીક કોલમ હોય છે. જે વિદ્યા ર્થી શાળામાં જ દાખલ થાય ત્યારે શિક્ષક ભરતા હોય છે. તેમાં નામ, અટક, ધર્મ ,જાતિ ,પેટા જ્ઞાતિ, એ બધી કોલમો ભરેલી હતી . પરંતુ ઉતાવળમાં માનવ સહજ રહેલી ભૂલ ગણો, કે ટેકનિકલ ખામી ગણો, પરંતુ કલાવતી ના એલ.સી માં ,જ્ઞાતિ ,પેટા જ્ઞાતિ, ની કોલમ માં ઠાકોર, રબારી, ચૌધરી પટેલ, દરબાર , એવો કોઈ જ ઉલ્લેખ કરવાને બદલે માત્ર 'સોલંકી 'એટલું જ લખેલું હતું . આમ તેના એલ.સી. માં અટક પણ 'સોલંકી' બતાવી હતી. અને જ્ઞાતિ પણ સોલંકી બતાવી હતી .
    કલાવતી એ જોયું કે આ 'સોલંકી' અટક'તો ઘણા - બધા સમાજના લોકો પાછળ, અને ઘણી બધી જ્ઞાતિઓ પાછળ લાગે છે . તેણીએ આ ટેકનિકલ ભૂલ નો ફાયદો ઉઠાવવાનું મનમાં નક્કી કર્યું. કલાવતી વિચારતી હતી .આ દુનિયામાં પોતે સમજતી થઈ ત્યારથી જ ડીસા માં રહેતી હતી .અને અહીં જ મોટી થઈ હતી. અને ડીસા ને જ પોતા ની 'જન્મભૂમિ' માનતી હતી. પરંતુ તે 12 વર્ષની થઈ ત્યારે તેની 'મા' એ તેને કહ્યું હતું. કે' 'બેટા તારો જન્મ તો થરાદ પાસેના 'વાડિયા' ગામમાં થયો છે.  અને આ વાડિયા ગામ માં કયા સમાજના, અને કઈ જ્ઞાતિના લોકો રહે છે.  તેની તેને કોઈ માહિતી ન હતી. કે કોઈને તે ઓળખી પણ ન હતી.   લોહીનો સંબંધ કહી શકાય તેવા માતા-પિતા દુનિયા માં અત્યારે હયાત ન હતાં .અને તેનું કોઈ સગું વહાલું પણ ન હતું. કે જેથી કોઈ કહી શકે કે તે આ 'જ્ઞાતિ'ની છે.  કે આ 'સમાજ'ની છે .
   ડીસા વિધાનસભા મત વિસ્તારમાં માળી, ઠાકોર ,દલિત, વગેરે સમાજના ઘણા મત હતા .અને એ સમાજના લોકો પાછળ પણ 'સોલંકી 'અટક લાગતી હતી . કલાવતી એ પોતાના એલ.સી.ની કેટલીક પ્રમાણિત નકલો કઢાવી લીધી. તેણીએ પક્ષના જુના અને ને મોટા આગેવાનોને અંધારા માં રાખ્યા. અને પોતાના વફાદાર અને વિશ્વાસુ અને અંગત માણસોની એક 'ટીમ' બનાવી દીધી. અને આ નવા આયો જન, ગોઠવણ , વ્યુહરચના અને પ્રચારની જવાબદારી આ નવી ટીમે ઉપાડી લીધી .
  ચૂંટણી ના હવે ત્રણ જ દિવસ બાકી હતા.  હવે દિવસે અલગ પ્રચાર અને રાત્રે અલગ પ્રચાર કરવાનો હતો. સૌ પ્રથમ કલાવતી અને તેના માણસો એ ઠાકોર સમાજના આગેવાનો ના સહકારથી 'રામસણ' મુકામે ઠાકોર સમાજ ની એક મોટી 'ગુપ્ત મીટીંગ' બોલાવી. જેમાં ડીસા વિધાન સભા મત વિસ્તારમાં આવતા ઠાકોર સમાજના દરેક ગામ માંથી ઓછામાં ઓછા ચાર કે પાંચ જવાબદાર આગેવાનો  ફરજિયાત હાજર રહે તેવું આયોજન ગોઠવ્યું .સામાજિક મિટિંગ હોવાથી આ મિટિંગમાં બીજા કોઈ પણ સમાજના આગેવાનને એમાં આવવાની સખ્ત મનાઈ હતી .
આ મિટિંગમાં ઠાકોર સમાજના ચાર- પાંચ મોટા આગેવાનો સિવાય પક્ષના કોઈ પણ નેતાને તેમાં હાજર ન રાખ્યા. આ મિટિંગમાં કલાવતી એ ઊભા થઈને, બે હાથ જોડી ગળ -ગળા સાદે વિનંતી કરી કે, 'સમાજના વડીલો આગેવાનો અને યુવાન ભાઈ -બહેનો . હું તમારી દીકરી છું. હું પણ આપણા 'ઠાકોર સમાજ'ની જ છું. બાળપણથી હું મોટી ડીસા માં જ  થઇ છુ . પરંતુ મારા પિતા મહેસાણા પાસેના 'સુણસર' ગામના વતની હતા.  જ્યાં આજે પણ અમારું ઘર  ઊભું છે.  અને કુટુંબ પણ ત્યાં રહે છે . હું આપણા 'ઠાકોર સમાજ'ની દીકરી તરીકે સમાજને વિનંતી કરું છું કે' જ્યારે પક્ષે મને વિધાનસભાની ટિકિટ આપી છે ત્યારે સમાજ પણ એક થઈ બધા જ મત મને આપી વિજય બનાવે ,તેવી સમાજની પણ ફરજ બને છે. અને આપણા ઠાકોર સમાજની તો વર્ષોની પરંપરા રહી છે કે 'ભાઈ પોતા ની જમીન વેચીને પણ પોતાની બહેન કે દીકરીનું 'મામેરુ' હંમેશાં ભરતા હોય છે .હું તમને જમીન વેચવાનું નથી કહેતી, પરંતુ મને તમારી બહેન સમજી ને, તમારી દીકરી સમજી,ને માત્ર તમારો એક 'મત 'આપી મને વિજય બનાવશો તો એ તમે મારું 'મામેરુ 'ભર્યું બરાબર જ માનીશ !'
   ત્યારબાદ કલાવતી એ 'ઠાકોર સમાજની વાડી બનાવવા રૂપિયા ૧૦ લાખનું દાન આપવાની જાહેરાત કરી . અને એ રૂપિયા સમાજના લોકોની વચ્ચે જ સમાજના જવાબદાર આગેવાનોને રોકડા જ ચૂકવી દીધા. ઠાકોર સમાજના બધા જ આગેવાનોએ 'સદારામ બાપુ' ની જય બોલાવી . અને સદારામ બાપુ ની 'સોગંધ 'ખાઈને સમાજના બધા જ મત આ ચૂંટણીમાં 'કલાવતી' ને આપવાની ખાતરી આપી .
    તેના બીજા દિવસે રાત્રે આવી જ એક 'ગુપ્ત મીટીંગ' 'માળી સમાજ'ની માલગઢ મુકામે બોલાવી. જેમાં માળી સમાજના બધા જ જવાબદાર આગેવાનો હાજર રહે તેવું આયોજન કર્યું. અને આ મિટિંગમાં તેણીએ કહ્યું કે, 'પોતે 'સોલંકી' એટલે કે 'માળી' સમાજની દીકરી છે. અને પોતા ના પિતા વાવ તાલુકાના 'ગંભીરપુરા' ગામના વતની હતા. જે વર્ષો થી ડીસા માં આવીને રહ્યા હતા.  તમારી માળી સમાજની દીકરીને ગુજરાતમાં પ્રથમ વખત વિધાન