Takshshila - 11 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 11

Featured Books
  • મર્દાની

    મર્દાનીઆ લેખ નો હેતુ મર્દાની મૂવી ના રીવ્યુ લખવાનો નથી... એટ...

  • મિસ કલાવતી - 16

    'ઝયુરીક' એરપોર્ટ બહાર વાતાવરણ ખુશનુમા હતું. ખુલ્લા &...

  • ગુરુ અને શિષ્ય

    ગુરુ અને શિષ્ય   निवर्तयत्यन्यजनं प्रमादतः स्वयं च निष्पापपथ...

  • સયુંકત પરિવાર - 1

    આજનો યુગ બદલાયો છે. આજના યુગમાં માણસ માણસથી દૂર થઈને યંત્ર અ...

  • સ્વપ્નિલ - ભાગ 12

    " તો એમાં મારી દીકરી ને આમ હેરાન કરવાની " શીતલ બેન બોલ્યાં ....

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 11

તક્ષશિલાના મહાદરબારમાં તૃતીય અને અંતિમ કસોટીનું તણાવભર્યું વાતાવરણ છવાયું હતું. આજની કસોટી પથ્થર જેવા સજ્જ શાસક નહીં, પણ મનુષ્ય હૃદય ધરાવતા નેતા શોધવાની હતી. આ કસોટી શબ્દોથી નહીં, અંતઃકરણથી ઉપજતી હતી.

મહારાજ આર્યન, આચાર્ય ચાણક્ય અને રાજ્યના મુખ્ય ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ પ્રશ્નોત્તરી શરૂ થઈ. બંને રાજકુમારો — સૂર્યપ્રતાપ અને ચંદ્રપ્રકાશ — મંડપના મધ્યમાં ઊભા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી, પણ અંદર યુદ્ધ ચાલી રહ્યું હતું — પોતાની વિચારશક્તિ અને મર્યાદાની અગ્નિપરીક્ષા માટે.

પ્રશ્ન ૧ :
પ્રજાએ એક અત્યાચાર કરતી શાસક સ્ત્રીને જાહેરમાં મારી છે. સ્ત્રી દોષી છે, પણ કાયદાની પ્રક્રિયા હાથ ધરાવ્યા વગર તેને દંડ મળ્યો છે. શું જનતા ગુનેગાર ગણાશે?

સૂર્યપ્રતાપ: "ન્યાય માટે લોકક્રોધ યોગ્ય હોય શકે પણ કાયદાની બહારનો ન્યાય એ ન્યાય નહીં, વિઘ્ન છે. હું માનું છું કે સામાજિક દુઃખ અને તાત્કાલિક ક્રોધ માનવસ્વભાવ છે, પણ સમાજને એવી પ્રેરણા આપવી જોઈએ કે તેઓ કાયદા પર વિશ્વાસ રાખે. હું દોષી મહિલાને કાયદેસર સજા અપાવવી જોઈએ તે માનું છું, અને પ્રજાને શાંત અને વ્યવસ્થિત કરવાની જવાબદારી પણ શાસકની જ છે. જનતા ગુનેગાર નથી પણ દંડ નહી, માર્ગદર્શન જરૂરી છે."

ચંદ્રપ્રકાશ: "જ્યાં ન્યાય મોડો પડે છે, ત્યાં ક્રોધ વહે છે. જો પ્રજાને એવું લાગ્યું કે રાજ્ય ન્યાય આપતું નથી, તો આ પ્રક્રિયાને તોડવાનો પ્રયાસ કરશે. મારો ધ્યેય એ હશે કે આવા ધટનાઓના મૂળ કારણ સુધી જાઉં. હું એટલું કહું કે હાં, પદ્ધતિભર્યો ન્યાય મહત્વનો છે, પણ શાસકની પ્રથમ જવાબદારી છે કે પ્રજાને એવો વિશ્વાસ રહે કે ન્યાય મળશે. એ વિશ્વાસના અભાવમાં થતા ક્રોધને માત્ર દંડથી નહીં પણ વ્યવસ્થાપનથી ઠારવવો પડે."

પ્રશ્ન ૨:
તમારી માતા ગુપ્ત રીતે દુશ્મન સાથે વાર્તાલાપ કરે છે. પુરાવા પૂરતા નથી પણ શંકા ઘેરાઈ ગઈ છે. શું તમે તેમને રાજકીય કામકાજથી દૂર કરો?

સૂર્યપ્રતાપ: "શાસક માટે રાજ્ય માતા છે અને જો એ જ સ્નેહ કોઈ શંકાસ્પદ સંજોગોમાં આવે, તો વ્યક્તિગત લાગણીઓથી ઉપર ઉઠવું જરૂરી બને છે. પુરાવા ન હોય ત્યારે દંડ નહિ પણ હું મર્યાદા રાખીશ. હું મારી માતાને ગૌપ્ય રીતે રાજકીય દલિલોમાંથી દૂર કરીશ અને બધું સ્પષ્ટ થયા પછી નિર્ણય લઈશ. શાસક પોતાનું મન કડક પણ કરુણ રાખે. ભાવના વહેતાં દુર્બળતા બને તે ન ચાલે."

ચંદ્રપ્રકાશ: "માતૃત્વ પ્રેમ છે, પણ શાસકત્વ જવાબદારી છે. હું મારી માતાની સાથે સંવાદ કરું, કારણ કે ઘણીવાર એક શંકા વ્યક્તિની ઈચ્છા વગર ઊભી થાય. જો શંકા ઠોસ બને, તો હું દુર કરીશ પણ તેઓની સાથે માનસિક સલાહકારો અને નીતિ માર્ગદર્શકોની મદદ લઈ, તેમને માત્ર દૂર નહિ પણ સમજાવવાને પંથ અપનાવું. કેમ કે સંબંધો તોડવા કરતાં સમજાવવું વધુ રાજકીય છે."

---

પ્રશ્ન ૩:
તમારા રાજ્યમાં એક ધાર્મિક પરંપરામાં નાના બાળકોનું શારીરિક શોષણ કરાવી રહી છે. લોકો તેને ભગવાનની ઇચ્છા કહે છે. શું તમે આ પરંપરા પર પ્રતિબંધ મૂકાશો?

સૂર્યપ્રતાપ: "હું ધર્મપ્રેમી છું પણ અંધશ્રદ્ધા પર વિશ્વાસ નથી રાખતો. ધાર્મિક સિદ્ધાંતો જે માણસને જીવવા દેતા નથી, તે ધર્મ નહિ, અંધકાર છે. હું આ પરંપરા પર તરત પ્રતિબંધ મૂકીશ શાસકનો ધર્મ છે સત્ય સામે ઊભો રહે ભલે પછી લોકપ્રિય હોય કે ન હોય."

ચંદ્રપ્રકાશ: "મને લાગે છે કે હું પહેલા અભિયાન ચલાવીશ—જ્યાં વિદ્વાનો, ભક્તો અને વિજ્ઞાનીઓ સાથે સંવાદ કરીને એ ખોટી માન્યતાને ખંડિત કરીશ. હું તરત પ્રતિબંધ મૂકવાની જગ્યાએ લોકમન્ને બદલવા પ્રયાસ કરીશ. લોકવિશ્વાસને ઘટાવ્યા વિના ધર્મ સુધારી શકાય, એ એજ શાસકની નૈતિક કળા છે."

---

પ્રશ્ન ૪:
એક યોદ્ધા યુદ્ધસમયે ભાગી ગયો છે. હવે તે દુશ્મન બની રહ્યો છે, પણ તેના પરિવારને તમારું રાજ્ય સંભાળે છે. હવે એ યોદ્ધો પકડાઈ ગયો છે. શું દંડ આપશો કે ક્ષમા?

સૂર્યપ્રતાપ: "યોદ્ધા તરીકે તેણે ક્યારેક મને રક્ષા આપી પણ હવે તે શત્રુ છે. હું તેને ક્ષમા આપી શકું પણ તેને જતો કરવો એ રાષ્ટ્રીય જોખમ છે. હું તેને જીવીત છોડી શકું પણ જાહેર સંદેશ આપવા માટે દંડ પણ જરૂરી છે. હું એવો ઉપાય શોધીશ કે તેનું જીવન બચે અને તેના પરિવારને માન મળતું રહે."

ચંદ્રપ્રકાશ: "દંડ એક જ રીતે લાગુ પડે પણ પ્રસંગે માનવતા અવકાશ પણ જોઈએ. હું તેની સાથે સંવાદ કરીશ, અને જો તેના મનમાં પસ્તાવો હોય અને ઉપયોગી માહિતી આપે, તો હું તેને દંડ ટાળીને જીવનતાણું આપીશ પણ શરત સાથે. શાસક જો દુશ્મનને બચાવે , તો એ શત્રુ પણ શિષ્ય બની શકે."

---

પ્રશ્ન ૫:
તમારા રાજ્યમાં એક અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રાજ્યમાંથી અલગ થવા માંગે છે. તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વ્યવસ્થા માંગે છે. શું તમે દબાવશો કે સંવાદથી શક્ય ઉકેલ લાવશો?

સૂર્યપ્રતાપ: "રાજ્ય એકતા માટે સમર્પિત હોવું જોઈએ. હું તેમની માંગણીનો આધાર સાંભળીને જો ખોટી છે તો તેને રાજકીય દૃઢતા સાથે નકારીશ. પણ તેમનો વિશ્વાસ જીતવા માટે સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક સહિષ્ણુતાનો માર્ગ પણ અપનાવીશ. હું ભાંગીશ નહિ પણ જોડવાનો પ્રયત્ન કરીશ."

ચંદ્રપ્રકાશ: "મારી રીત છે સાંભળવી, સમજવી અને સંવાદ. હું તેમની જુદી સંસ્કૃતિને રાજ્યની ગૌરવશાળી વિવિધતામાં સ્થાન આપીશ પણ વિભાજન નહીં. ભિન્નતા આપણા માટે જોખમ નહિ, પરંતુ સમૃદ્ધિ બની શકે છે માત્ર જો તેને સાચવી શકાય."

ચાણક્ય મૌન થયા. દરબાર શાંત હતો. દરેક જણ રાજકુમારોના જવાબોથી પ્રભાવિત લાગતા હતા.

ચાણક્યએ કહ્યું: "એક ધારદાર છે, એક ઊંડો. એક નિર્ણયશીલ છે, બીજો વિચારશીલ. બંને શાસક છે પણ રાજ્ય માટે આજે નહીં, ભવિષ્ય માટે કોણ યોગ્ય છે એ પ્રશ્નનો ઉત્તર સમય આપશે."