દિલ્હી રહેતા બારોટ સાહેબને કલાવતીએ ફોન દ્વારા પોતાની પ્રગતિથી વાકેફ કર્યા. અને તેણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને જોઈતાં નાણાં પોતે કોઈપણ ભોગે કેશારામ પાસે થી મેળવી શકશે. જી. વિશ્વનાથન પાસેથી મળેલા ગુપ્ત દસ્તાવેજોનો ગહન અભ્યાસ કરીને કલાવતીએ બજેટ ને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ 'કચ્છ બ્રાન્ચ કેનાલ' વાળો પ્રોજેક્ટ હાથમાં લીધો. અને આ યોજના પાર પાડવા માટે તેણે પોતાના અંગત વફાદાર અને હોશિયાર માણસો ની આખી ટીમ ગુપ્ત રીતે એ કામે લગાડી દીધી .
નર્મદા નહેર નું કામ હજુ તો વડોદરા અને અમદાવાદ વચ્ચે ચાલુ હતું. છતાં સરકારે ચૂંટણી આવતી હોવાથી મત મેળ વવા માટે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના ઈસ રવા ગામ પાસે નહેર ખોદવાના યંત્રો અને વાહનોની મશી નરી લાવીને ખડકી દીધી. અહીં 0. પોઈન્ટ હતો. અમદા વાદ તરફથી આવતી નહેર સીધી થરાદ પાસેથી પસાર થઈને રાજસ્થાનમાં જતી હતી. જ્યારે 'ઈસરવા'ઝીરો પોઈન્ટ થી ફંટાઈ ને એક શાખા કચ્છમાં જવાની હતી. જેનું નામ 'કચ્છ બ્રાન્ચ કેનાલ'' હતું. આ જગ્યાએ મશીનરી ઉતારવા માટે સરકારે 'તર્ક' એ રજૂ કર્યો કે' આંહીં થી અમદાવાદ બાજુ નહેર ખોદાતી જાય, અને સામે અમદા વાદ બાજુથી પણ નહેર ખોદાતી આવે . બંને બાજુ કામ ચાલુ કરવાથી તેનું કામ ઝડપથી થઈ શકે. પરંતુ સરકારના આ 'તર્ક'નો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો.
કારણ કે નર્મદા યોજનાની વાતો આ લોકોએ ઘણા સમય પહેલેથી સાંભળી હતી. પરંતુ હજુ સુધી તેનું કોઈ ઠેકાણું પડ્યું ન હતું. અને આ નર્મદા નહેર આવશે કે કેમ તે વિશે પણ ઘણા લોકોને મનમાં શંકા હતી. તેથી મુખ્ય કેનાલ ની સંપાદિત થયેલ જમીનમાં પણ ઉભો પાક બગાડીને નહેરના ખોદકામ નો ખેડૂતોએ વિરોધ કર્યો . ખેડૂતોની દલીલ એ હતી કે, નર્મદા નહેર નું હજુ તો વિરમગામ, કે મહેસાણા પાસે પણ ઠેકાણું નથી. તો પછી તે પહેલાં અહીં ઉભા પાક ને નુકસાન શા માટે કરવામાં આવે છે ? સરકાર પહેલાં અમદાવાદ બાજુથી સળંગ નહેર ખોદતાં - ખોદતાં આવે. અને એ ખોદકામ અહીં આવશે એટલે સામેથી જમીનનો કબજો અમે લોકો સરકારને સોપી દઈશું .
છતાં સરકાર ખેડૂતોની આ વાત માનવા તૈયાર ન હતી એટલે એના વિરુદ્ધ માં ખેડૂતોએ આંદોલન કર્યું .આખરે દિલ્હીથી વી.કે. બારોટ સાહેબની દરમિયાનગીરીથી મામલો થાળી પડ્યો. ને પહેલાં અમદાવાદ બાજુથી ખોદકામ કરતાં આવવાનું સરકારે નક્કી કર્યું. ઈસરવા થી ફંટાતી કચ્છ બ્રાન્ચ કેનાલની જમીન હજુ સંપાદિત થઈ ન હતી. પરંતુ તેની પ્રક્રિયા ચાલુ હતી .
વિશ્વનાથન પાસેથી મળેલા ગુપ્ત દસ્તાવેજો ના આધારે કલાવતી ને ખબર પડી હતી કે આ છ માસમાં કચ્છ બ્રાન્ચ કેનાલ માટે ઈસરવા થી લઈને આડેસર સુધીનું જમીન સંપાદનનું કામ પૂરું કરવાનું છે. અને તેનું ચુકવણું જંત્રી પ્રમાણે, એટલે કે ખેડૂતે વેચેલી જમીનના ઊંચામાં ઊંચા દસ્તાવેજો ના આધારે થશે. કલાવતીના માણસોની ગુપ્ત ટીમ આ માટે કામે લાગી ગઈ હતી .
કાંકરેજ તાલુકાના ઈસરવા ગામ પાસેથી ફંટાતી 'કચ્છ બ્રાન્ચ કેનાલ' સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ પાસેથી પસાર થઈને આગળ જઈને રણ માં પડતી હતી. આ વચ્ચે આવતાં ગામોમાં કલાવતીના માણસોએ એવી હવા ઊભી કરી કે' નર્મદા કેનાલમાં કપાતમાં જતી જમીન નું સરકાર એક પણ રૂપિયો વળતર ચૂકવવાની નથી. કારણ કે આખરે તો એ જમીન સરકારની જ છે. અને નર્મદા યોજના પણ સરકારની જ છે. એટલે સરકારી કામે જમીન લેવાની હોવાથી વળતર શાનું ?'
અને આ હવા આ વિસ્તારમાં એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે, લોકો જે ભાવ મળે તે ભાવે જમીન વેચવા પડા- પડી કરવા લાગ્યા. બારોટ સાહેબ પાસેથી મળેલા 20 કરોડ અને કલાવતી પાસેના 10 કરોડ એમ કુલ 30 કરોડ રૂપિયા કલાવતી એ પોતાના માણસોને રોકડા આપ્યા હતા બીજા 200 કરોડ રૂપિયા તેમને ત્રણ - માસમાં મળી જશે તેવી વાત કરી હતી. કલાવતીના માણસો કામે લાગી ગયા. ઈસરવા અને મઢુત્રા વચ્ચેની સુકી - ભઠ્ઠ જમીનનો બજાર ભાવ તે વખતે હેક્ટર દીઠ 12 થી 15 હજાર રૂપિયા હતો. પરંતુ કલાવતી ના માણસો એ તે જમીન હેક્ટર દીઠ 20 થી 25 હજાર રૂપિયા આપીને ખરીદી અને બાનાખત પેટે જમીનની કુલ કિંમતના 25% રૂપિયા રોકડા પણ ચૂકવી દીધા. બાકીની રકમ રજીસ્ટર દસ્તાવેજ વખતે ખેડૂતોને રોકડી ચૂકવવાની હતી. અને ત્રણ માસની અંદર પૈસા આપીને દસ્તાવેજ કરાવી દેવો એવી શરત હતી. અને બીજી શરત એ હતી કે વેચાણ- દસ્તાવેજ ખેડૂતે હેક્ટર દીઠ દોઢથી બે લાખ રૂપિયા વચ્ચે નો કરી આપવાનો હતો. ને દસ્તાવેજ નો તમામ ખર્ચ વેચાણ લેનાર પાર્ટીએ ભોગવ વાનો હતો. તેથી ખેડૂતોને એ સામે કોઈ વાંધો ન હતો. ઉલ્ટા ખેડૂતો બજારભાવ કરતાં પણ ઊંચા ભાવે જમીન વેચી ખુશ- ખુશાલ હતા. કલાવતીનું હવે એક જ ધ્યેય હતું . પોતાનું મિશન પાર પાડવાનું .કારણ કે તેના કહેવાથી 230 કરોડની કિંમતના જમીનના સોદા થઈ ગયા હતા. અને તેનાં 'બાનાખાત' પણ થઈ ગયાં હતાં .
તેથી રાજકારણમાં કોઈ અગત્યનું કામ ન હોય ત્યારે કલાવતી બાપુ પાસે આશ્રમમાં અચૂક આવી જતી .
અહીં બાપુ પાસેથી પરમાત્મા ના સ્વરૂપનો, ભક્તિનો, અને મોક્ષનો મહિમા સાંભળતી. ધીમે -ધીમે તેની બાપુ ઉપરની શ્રદ્ધા અને તેમના પ્રત્યેનું ખેંચાણ વધતું ચાલ્યું .સામે બાપુને પણ કલાવાથી માં કોઈ 'અલૌકિક' શક્તિ છુપાયેલી હોય તેવાં દર્શન થયાં . અને થોડા જ સમયમાં કલાવતી આશ્રમ ના બધા જ નીતિ- નિયમો પાળી ને, બધાં જ અનુષ્ઠાનો પાસ કરીને, શિષ્યા માંથી 'સેવિકા' નો દરજ્જો પ્રાપ્ત કરી લીધો .
સત્સંગ પ્રવચન કરવા ઉપરાંત પણ બાપુને બીજાં અસંખ્ય કામ રહેતાં .કોઈ મોટા રાજકીય આગેવાન, ઉધોગપતિ કે સેલિબ્રિટી આશ્રમની મુલાકાતે આવે તો તેમને પણ મુલા કાત આપવી , મેનેજમેન્ટ સંભાળતા તેમના માણસોને ખાનગી 'કોન્ફરન્સ હોલ'માં મળી તેમની સાથે ચર્ચા કરવી, આગોતરું આયોજન કરવું , તે ઉપરાંત આશ્રમ દ્વારા ચાલ તી 50 જેટલી ગુરુકુળ શાળાઓ ની પણ સમયાંતરે મુલાકાત લેવી. ગુજરાત અને ભારતમાં ચાલતા મોટા આશ્રમોની પણ ક્યારેક મુલાકાત લેવી , વગેરે કામો માં સતત વ્યસ્ત રહેતા હતા. તે ઉપરાંત પોતાના કાર્યક્રમો અને કાર્યો નેં પ્રકાશિત કરતાં સામાયિકો ઉપર પણ નજર રાખવી. આ ઉપરાંત શનિ-રવિ સિવાય સપ્તાહમાં પાંચ દિવસ રોજના એક કલાક પોતાની ચેનલ 'વિશ્વાસ' ઉપર સત્સંગ નું લાઈવ પ્રસારણ કરવું.વગેરે પ્રવર્તિ માં તેમનો સમય ક્યારે પસાર થઈ જતો તેની બાપુને ખબર જ ન રહેતી.
સામે કલાવતી પણ અસંખ્ય ભૂમિકા ભજવતી હતી. તે ડીસા તાલુકા પંચાયતની પ્રમુખ હતી એટલે તાલુકા પંચાય તનો વહીવટ તો તે સંભાળતી જ.તે ઉપરાંત લોકોના પ્રશ્નો સાંભળવા, તેનું નિરાકરણ કરવું. સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવી .પક્ષની મીટીંગ કે સભાઓમાં જવું, ત્યાં વિષયને અનુલક્ષીને પ્રવચન આપવું .તે ઉપરાંત પ્રદેશના મોવડી મંડળ સાથે કે હાઈ કમાન્ડ સાથે સતત સંપર્કમાં રહેવું. તેમના આદેશ પ્રમાણે પક્ષના કાર્યક્રમો કરવા. આવાં અસંખ્ય કામોમાં તે રચી -પચી રહેતી હતી .
સેવિકા બન્યા બાદ કલાવતી બાપુના વધુમાં વધુ સાનિ ધ્યમાં રહેવા લાગી. બાપુને પણ તેણીનું સાનિધ્ય વધુ ને વધુ ગમવા લાગ્યું. ને થોડા સમયમાં બંને એટલા નજીક આવી ગયા કે બીજી સેવિકાઓને અવગણીને પણ બાપુએ કાલાવતી ને પોતાની 'પર્સનલ સેક્રેટરી' તરીકે નિમણૂક કરી દીધી. સેવિકા નું પદ આપતી વખતે કેશારામ બાપુએ કલાવતી ને નવું નામ આપ્યું હતું - 'આશાદેવી' આશ્રમ માં બધાં જ તેને હવે આ નામે જ બોલાવતાં . બાપુના લાખો ભક્તો ,શિષ્યો, સેવક -સેવિકા અને સાધકો તેણી ને હવે આ નામે જ ઓળખતા. આમ તો સેવિકા બન્યા પછી આશ્રમમાં દરેકને ફરજિયાત સફેદ વસ્ત્રો પહેરવાં પડે તેઓ નિયમ હતો .પરંતુ બાપુએ કલાવતીની રાજકીય 'કેરિયર'ને ધ્યાને રાખીને તેણીના માટે કેટલીક છૂટછાટ આપી હતી. તેથી તે ચાહે તે વસ્ત્રો પહેરી શક્તી. પરંતુ કલાવતી આશ્રમ માં આવે ત્યારે મોટાભાગે સફેદ વસ્ત્રો પહેરીને જ આવતી.
તેણી કેશારામ બાપુ સાથે સફેદ સાડી પહેરીને આશ્રમની 'ઇનોવા' ગાડીમાં બેસીને અવાર-નવાર કચ્છ -કાઠીયાવાડ, ભાવનગર , જામનગર,સુરત ,વલસાડ, રાજપીપળા, ગોધરા, કે હિંમતનગર જુદા- જુદા આશ્રમની આશાદેવી ના નામે મુલાકાતે જતી. તો ક્યારેક 'બાપુ' તેને કલકત્તા, મથુરા, કે હરદ્વારના આશ્રમો માં પણ સાથે લઈ જતા. ત્યાં પણ બધા શિષ્યો અને સેવકો તેણી ને 'આશાદેવી' ના નામે જ ઓળખવા લાગ્યા .
દુનિયામાં કેશારામ બાપુના કેનેડા ,અમેરિકા, ફ્રાન્સ , બ્રીટન,વગેરે દેશોમાં ઘણા આશ્રમો હતા . જેનો વહીવટ અને સંચાલન અહીંથી મુકેલા બાપુના અંગત અને વિશ્વાસુ સેવકો અને ત્યાં વિદેશમાંના શિષ્યો અને ભક્તો સાથે મળી ને કરતા હતા . આમ તો વિદેશમાં આવેલા એ આશ્રમોની રૂબરૂ મુલાકાત 'કેશારામ' બાપુ ભાગ્યે જ લેતા. પરંતુ અચાનક તેમણે તેમના 'ફ્રાન્સ'માં ' પ્રોમેનસ ખાતે આવેલા આશ્રમ ની મુલાકાતે જવાનો કાર્યક્રમ જાહેર કર્યો .
યુરોપના મોટાભાગના દેશ વિકસિત દેશ ગણાય છે.ને યુરોપના મળેલ 'વિઝા' થી વ્યક્તિ યુરોપિય સંઘના લગ ભગ 28 દેશોમાં એ જ વિઝા થી પ્રવાસ કરી શકે છે. અને ગમે તે દેશમાં અવર-જવર કરી શકે છે. બાપુનો જાહેર કાર્યક્રમ તેમના ' પ્રોમેનસ' ખાતે આવેલા આશ્રમ ની મુલાકાત નો હતો. પરંતુ બાપુએ ફ્રાન્સ ઉપરાંત તે સાથે સ્વીઝરલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક જેવા ચાર- પાંચ દેશો નો પ્રવાસ પણ તેમની સાથે ગોઠવી લીધો હતો. ભારતનું સ્વર્ગ કાશ્મીર કહેવાય છે. પરંતુ દુનિયાનું સ્વર્ગ તો 'સ્વીઝરલેન્ડ' જ મનાય છે. ને દુનિયાના ઘણાં- ખરાં નવ દંપતિઓની હનીમૂન માટેની પ્રથમ પસંદ પણ' સ્વિત્ઝર્લેન્ડ જ છે. કાશ્મીર નો પ્રવાસ કલાવતી ચુડાસમા સાથે કરી આવી આવી હતી. ' સ્વિત્ઝરર્લેન્ડ' વિશે તેણી એ ઘણું બધું સાંભળ્યું હતું. ઘણું બધું વાંચ્યું હતું. પરંતુ તેને જોવાનું સૌભાગ્ય હજુ સુધી તેણીને પ્રાપ્ત થયું ન હતું. અને તે જોવાની તેણી ને ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ હજુ સુધી તે ઇચ્છા અધૂરી જ હતી .
બાપુના આ પ્રવાસ ની તેણી ને ખબર પડી ત્યારથી જ કલાવતી ખૂબ જ રોમાંચિત થઈ ઉઠી હતી. અને બાપુ ને તેણીએ પ્રેમવશ કહો. કે જીદવશ કહો. પરંતુ પોતાને આ પ્રવાસ માં સાથે લઈ જવા માટે બાપુ ને મનાવી લીધા હતા. આમ પણ બાપુને આ લાંબા પ્રવાસમાં સાથે એક વ્યક્તિની જરૂર તો હતી જ. અને તેથી કલાવતી પોતાની 'પર્સનલ સેક્રેટરી 'હોવાથી તેમણે તેણીની પ્રથમ પસંદગી કરી હતી .
પાસપોર્ટ તો બંનેના પહેલાંથી જ તૈયાર હતા. તેમના સેવકોએ ટ્રાવેલ્સ એજન્ટને મળીને તેમના દ્વારા 15 -20 દિવસમાં તો, વિઝા, એરલાઇન્સ ટિકિટો નું જતાં - આવતાં નું બુકિંગ,જે તે શહેરમાં સારી હોટેલમાં રૂમ કે સયૂટ નું બુકિંગ, બધી જ પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. તેમણે 'વિઝા' ફ્રાન્સ ના લીધા હતા. જે વિઝા દ્વારા યુરોપના 28 દેશોમાં ફરવાની તેમને પરવાનગી હતી. તેમને એક માસના ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા. તેમનો પ્રવાસનો કાર્યક્રમ 10 દિવસનો હતો. પરંતુ એક દિવસ પ્લેનમાં જતાં અને એક દિવસ આવતાં રસ્તામાં જ નીકળી જવાનો હતો. તેમની આશ્રમની મુલાકાત એ તો એક માત્ર 'નિમિત' હતું. પરંતુ આ આઠ દિવસના પ્રવાસમાં યુરોપના દેશોની સુંદરતા અને ત્યાંના પ્રાકૃતિક સૌંદર્ય ને વધુમાં વધુ જોઈ લેવાનું બાપુએ આયોજન કર્યું હતું .
કેશારામ બાપુ અને કલાવતી ને ટ્રાવેલ એજન્ટ દ્વારા તેમના નામની, દુનિયામાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ મનાતી 'એરલાઇન્સ' એવી ' કતાર એરવેઝ' ની ફ્લાઈટમાં બીઝ નેસ ક્લાસ ની રિટર્ન સહિતની ટિકિટો તેમને મળી ગઈ હતી નિયત તારીખે આશ્રમ નો ડ્રાઇવર અને નીતિરામ આશ્રમની 'ઇનોવા' ગાડીમાં આશારામ બાપુ અને કલાવતી ને અમદા વાદ ના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ નંબર-૨ ઉપર મૂકવા આવ્યા. ટર્મિનલ-૧ ઉપર ડોમેસ્ટિક ફ્લાઇટ આવતી જતી- હતી. જ્યારે ટર્મિનલ-૨' ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો આવતી- જતી હતી .' આમ તો તેમની ફ્લાઈટ રાતના બે વાગ્યાની હતી. પરંતુ બાર વાગે તેમને એરપોર્ટ પહોંચી જવાનું હતું. કારણ કે તેમને દોઢ કલાક જેટલો લાંબો સમય વિઝા ચેકીંગ,ઇમરેગેશન, ટિકિટ કન્ફર્મ,લગેજ ચેકીંગ,બોડીગપાસ વગેરે વિધિ પાર પાડવામાં નીકળી જવાનો હતો.
ફ્રાન્સ વિઝા ઉપર પહેલી વખત યુરોપના પ્રવાસે જતા પ્રવાસી માટે એમ્રીગેશનમાંથી પસાર થવાના નિયમો બહુ કડક અને ચુસ્ત હોય છે. કારણ કે એ 'વિઝા'ઉપર બીજા 28 દેશોમાં ગમે ત્યાં ફરી શકનાર વ્યક્તિ, તે દેશોના કોઈ ખૂબસૂરત ખૂણામાં રોકાઈ જાય. તો તેને શોધવો ક્યાં ?' માટે તે વ્યક્તિ ભારત પાછો કઈ તારીખે, કયા સમયે, અને કઈ ફ્લાઈટમાં ફરવાનો છે. તેની રિટર્ન ટિકિટ ને આધારભૂત દસ્તાવેજો હોય તો જ તેને જવા દેવામાં આવે છે.
બાપુએ અત્યારે સફેદ ધોતી જેવું, લૂંગી ની જેમ આડું વસ્ત્ર પહેર્યું હતું, તેના ઉપર લાંબો સફેદ ઝભ્ભો પહેર્યો હતો .અને ખભે મોટો લાલ કિનારી વાળો સફેદ ખેસ લબડ તો હતો. જે તેમનો કાયમી ડ્રેસ હતો. જ્યારે કલાવતીએ અત્યારે, સફેદ સાડી તૈયાર થઈ સેવિકા નો પહેરવેશ પહેર્યો હતો. પ્રવાસ માટે ઠાંસી- ઠાંસીને ભરવામાં આવેલી સામાનની બે મોટી બેગો- નીતિરામ અને ડ્રાઇવર છેક પ્રવેશ દ્વાર સુધી મૂકી ગયા હતા. બાપુ પાસે હાથમાં એક નાની સુટકેસ જ હતી. જ્યારે કલાવતીએ ખબે એક આધુનિક પર્સ લટકાવ્યું હતું. જેમાં પાસપોર્ટ, એર ટિકિટ, વિઝા, વગેરે જરૂરી કાગળો હતાં .
બંન્ને ને એરપોર્ટના દરવાજાની અંદર મૂકી નીતિરામ તથા ડ્રાઇવર રવાના થયા. કેશારામ એક વખત યુરોપનો પ્રવાસ કરી આવ્યા હતા. જેનો સિક્કો તેમના પાસપોર્ટ ઉપર લગા વેલ હતો. જ્યારે કલાવતી તેમની 'સેક્રેટરી' તરીકે તેમની સાથે પ્રથમ વખત જતી હતી. ને તેમને કોઈપણ જાતની અડચણ વગર ઝડપી 'વિઝા' મળવાનું સૌથી મોટું કારણ તેમનો 'પ્રોમેનસ' ખાતે નો આશ્રમ હતું. અને તેના 'હેડ' તરીકે આશ્રમ ની મુલાકાત લેવાનું તેમણે કારણ બતાવ્યું હતું. તેમને ઇમરિગેશન વિભાગ માંથી પસાર થતાં કોઈ મુશ્કેલી ન પડી. તેઓ લગેજ ચેકિંગ, ટિકિટ કન્ફર્મ બોર્ડિંગ પાસ, વગેરે વિધી પૂરી કરીને તેમના પ્લેટફોર્મ ઉપર આવીને બેઠાં .
થોડી જ વારમાં 'કતાર એરવેઝ'ની 'દોહા' જતી ફ્લાઈટ નંબર- ક્યુ-આર- 169 ના પેસેન્જર ફ્લાઇટ માં પોતાની બેઠક લઈ શકે છે એવું માઇકમાં એનાઉન્સ થયું બાપુ અને કલાવતી અન્ય પેસેન્જર સાથે વિમાન માં પ્રવેશ્યાં . દરવા જા માં જ તેમને ઊંચી, ગોરી, પાતળી, કાળી આંખો વાળી એશિયન. અને માંજરી આંખો વાળી, યુરોપિયન એવી ૧૮ થી ૨૧ વર્ષની 'એરહોસ્ટેલ'યુવતી ઓ એ, માથા ઉપર 'લંબચોરસ લાલ કેપ' પહેરીને 'વેલકમ સર !' 'વેલકમ મેડમ !' કહીને તેમને આવકારી રહી હતી .
વિમાનમાં આગળ ના ભાગમાં , પાયલોટ ની કેબિન પછી તરત જ વીશેક સીટો બિઝનેસ ક્લાસની હોય છે. ત્યાર બાદ 'ઇકોનોમિક ક્લાસ' ની સીટો હોય છે. દરેક વિમાનમાં પાયલોટ ની કેબિન થી લઈને છેક પાછલા દરવાજા સુધી વચ્ચેના ભાગમાં સળંગ ત્રણ ફૂટ પહોળો કાર્પેટ પાથરેલો રસ્તો હોય છે. રસ્તા ની બંને બાજુ લક્ઝરી બસમાં હોય તેવી ત્રણ- ત્રણ સીટો સળંગ જડેલી હોય છે. જ્યારે બિઝનેસ કલાસમાં રસ્તાની બંને બાજુ બે -બે સીટો જડેલી હોય છે .
કલાવતી અને બાપુ ની સીટ 'બિઝનેસ ક્લાસ'માં પાયલેટ ની કેબીન પાછળ ત્રીજા નંબરે જ હતી. બંને એ તેમની બેઠક લીધી. આમ તો કલાવતીએ ભારતમાં જ એક- બે વખત વિમાન પ્રવાસ કર્યો હતો .પરંતુ વિદેશનો તેણી નો આ પ્રથમ પ્રવાસ હતો. 'ડોમેસ્ટ્રી ફ્લાઇટ'માં તેણીએ જોયું હતું કે ' તે પ્લેનમાં 6 ×30 = 180 પેસેન્જર ઉપ રાંત. 10 કે 15 જેટલો વિમાનનો સ્ટાફ મળી કુલ- ૨૦૦ માણસો સમાઇ શકતાં હતાં.
જ્યારે આ વિમાનની પહોળાઈ તો એટલી જ હતી. પરંતુ લંબાઈ વધુ હોવાથી 6,× 40 = 240 ઉપરાંત 10- 15 નો સ્ટાફ મળી કુલ 260 માણસો આરામથી સમાઈ ગયાં હતાં થોડી જ વારમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને પ્લેને રન-વે ઉપર ગતિ કરી.
રન-વે ઉપર થી ઉપડતાં વિમાનમાં શહેર ધ્રુજારી આવી. પરંતુ થોડીવારમાં જ વિમાન નિર્ધારિત ઊંચાઈએ પહોંચ્યા બાદ જાણે કે વિમાન સ્થિર હોય તેમ, સડસડાટ ગતિ કરવા લાગ્યું . બીઝનેસ ક્લાસમાં સીટો ખૂબ જ પહોળી- મોટી અને આરામદાયક હતી. સીટના હેન્ડલમાં આવેલ ચાંપ દબાવીને સીટ ને આઘી- પાછી ઊંચી- નીચી કે આરા મ માટે પથારી જેવી પણ કરી શકાતી હતી . પ્લેનમાં થોડી - થોડી વારે, રૂપાળી 'એર હોસ્ટેલો' પોતાના મીઠા અવાજ માં "વોટ આઈ ગીવ યુ સર ? વોટ આઇ ગીવ યુ મેડમ ?એવું સ્મિત વેરતાં કહીને કંઈ જોઈતું કરતું હોય તો તે પૂછી જતી હતી. અને જે જોઈએ તે સેવા પૂરી પાડતી હતી. જેમાં મીઠું પાણી, ઠંડી બિયર, સ્કોચ ,વિસ્કી ,વગેરે ઊંચી કીસમ નો શરાબ ઉપરાંત ચા,કોફી, ઠંડા પીણા , વેજ, નોનવેજ, વગેરે ભોજન પણ ઓર્ડર પ્રમાણે પીરસતી હતી.
વિમાનમાં કલાવતી બાપુને ધર્મ વિશે, સાધના વિશે, અને મોક્ષ વિશે જુદા- જુદા સવાલો પૂછતી હતી. જેનો બાપુ સંતોષકારક અને સચોટ જવાબ આપી, તેણી ના મન નું સમાધાન કરતા હતા. તો સામે પણ બાપુ પણ કલાવતીને રાજકારણ વિશે, તેમાંના લોકો વિશે, તેમાં ખેલાતા કાવા -દાવા વિશે જાત-જાતના પ્રશ્નો પૂછતા હતા જેનો કલાવતી પોતાના અનુભવ પ્રમાણે જવાબ આપતી હતી.
અમદાવાદ થી લગભગ સાડા - ત્રણ કલાકની મુસાફરી કરીને તેમનું પ્લેન કતારની રાજધાની 'દોહા'ના આંતરરાષ્ટ્રી ય વિમાન મથક ઉપર ઉતર્યું .અહીંથી તેમને ફ્લાઇટ ચેન્જ કરવાની હતી. કલાવતી ખભે પર્સ લટકાવીને ,જ્યારે બાપુ હાથમાં નાની સુટકેશ લઈને ટર્મિનલમાં ઉતર્યા તેમની બીજી ફ્લાઈટ પણ 'કતાર એરવેઝ 'ની હોવાથી તેમણે લગેજ માં મૂકેલી મોટી બેગો તેમને સ્વીઝરલેન્ડના 'ઝયુરીક' વિમાન મથકે મળી જવાની હતી.
'દોહા'નું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોઈને બંને દંગ રહી ગયાં .કારણકે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એરપોર્ટ વિસ્તરેલું વિશાળ હતું. તેની એક બાજુ વિશાળ સમુદ્ર હતો. તો બીજી બાજુ ખારું રણ વિસ્તરેલું હતું. આવી વિકટ ભૂમિ ઉપર ઇજનેરી કૌશલ્યથી આવું ભવ્ય અને વિરાટ એરપોર્ટ બાંધેલું જોઈને તેમને નવાઈ લાગી. એરપોર્ટ ની અંદર 10 કિલોમીટર લંબાઇમાં ચાર વાળનું પાકું બાંધેલું ટર્મિનલ હતું. ટર્મિનલમાં પ્લેનમાં ચડવા અને ઉતરવા ના 100 તો ગેટ હતા. અને ટર્મિનલના આ છેડેથી બીજે છેડે જવા અંદર મેટ્રો ચાલતી હતી.આ એરપોર્ટ પરથી દર દશ મિનિટ માં એક વિમાન ચડતું હતું.અથવા તો ઉતરતું હતું. ટર્મિનલ ની અંદર શોપિંગ મોલ, હોટલ, કાફે, બીયર બાર વગેરેની અસંખ્ય દુકાનો હતી. બાપુ અને કલાવતી ની ફ્લાઈટ બે કલાક પછી હતી. તેથી ચા- કોફી નાસ્તો કરી થોડાં ફ્રેશ થઈને બંને ટર્મિનલ ની વિશાળતા જોતાં-જોતાં તેઓ તેમની ફ્લાઈટના ગેટ પાસે પહોંચી ગયાં . ને ત્યાં વેઈટિંગ રૂમમાં બેસીને ફ્લાઈટનો ઇંતેજાર કરવા લાગ્યાં.
' કતાર એરવેઝ'ની દોહા થી ઝયુરીક જતી ફ્લાઈટ નંબર- ક્યુ-આર- 535 ના પેંજરોને પ્લેનમાં પ્રવેશવાનું એલાઉન્સ થયું. કલાવતી અને બાપુ તેમના પ્લેનમાં પ્રવેશ્યાં પ્લેનની અંદર દાખલ થતાં જ 'કતાર એરવેઝ' નું વિશાળ પ્લેન જોઈને કલાવતી ને આશ્ચર્ય થયું . તેણીએ જોયેલાં દરેક વિમાનમાં, વચ્ચે સળંગ એક જ રસ્તો હોતો .જ્યારે આ પ્લેનની ખૂબ જ પહોળું અને લાંબું હોવાથી વચ્ચે સળં ગ બે રસ્તા હતા. અને એ બે રસ્તા વચ્ચે ચાર- ચાર સીટો સળંગ વધારાની હતી. આમ પહોળાઈમાં 10 સીટો અને લંબાઇમાં 50 સીટો પ્રમાણે 10 × 50= 500 પેસેન્જર સમાઈ શકે તેવી તેની ક્ષમતા હતી. આમ વિમાનના સ્ટાફ સાથે આ વિમાન માં કુલ - 520 લોકો આરામથી સમાઈ ગયાં હતાં .
બાપુ અને કલાવતી ને 'બિઝનેસ ક્લાસ'માં બી-૭ અને બી-૮ નંબર ની સીટો મળી હતી. જે પાયલટ કેબિન થી પાછળ બીજા નંબરની લાઈન માં હતી.તેમની સીટો મોટી- પહોળી અને આરામદાયક હતી. સીટની એક બાજુ પારદર્શક કાચની બારી હતી. જ્યારે સીટો ની આગળ- પાછળ અને બાજુમાં 'રેકઝીન'ના હોય તેવા મોંઘા રેશમી જાડા કાપડના પડદા હતા. એ બે સીટની અલાયદી કેબિન હોય તેવું લાગતું હતું .
' દોહા 'થી ઉપડેલું એ પ્લેન અડધો કલાક સમુદ્ર ઉપરથી પસાર થયા બાદ ઝયુરીક તરફ આગળ વધી રહ્યું હતું.
પ્લેન ઓછી ઊંચાઈ એ ઉડતુ હોય, કે ગમે તે કારણ હોય પરંતુ નીચેનું દ્રશ્ય પારદર્શક વિન્ડો માંથી સ્પષ્ટ દેખાતું હતું. કલાવતી વિન્ડો સીટમાં બેઠી- બેઠી નીચેનું એ દ્રશ્ય જોઈ રહી હતી. અચાનક તેણીના દિલ માં જાણે કે શું ઉમળકો આવ્યો, કે 'બાજુની સીટમાં બેઠેલા બાપુને તેણીએ પોતા ના તરફ ખેંચી લીધા. અને બોલી.' બાપુ જુઓ- જુઓ, નીચે કેવું અદભુત દ્રશ્ય છે ?'
બાપુએ બારીમાંથી નીચે નજર કરી. નીચે કેટલીક લીલી છમ્મ પહાડ ની ટેકરીઓ દેખાતી હતી. તેમાં એક નદી વાંકી -ચૂકી વહી રહી હતી. અને તેના ઉપર રૂ નાં પૂમડાં મૂક્યાં હોય તેમ કેટલાંક વાદળો તરતાં જતાં હતાં . નીચેનું દ્રશ્ય ખરેખર 'અદભુત' અને નયનરમ્ય હતું. પરંતુ તે દ્રશ્ય જોવામાં બાપુનું માથું કલાવતીના ખોળામાં તેણી ની છાતી સાથે સ્પર્શી રહ્યું હતું .
' ખરેખર અતિ સુંદર દ્રશ્ય છે. આશા !' બાપુ ધીમે સાદે બોલ્યા. પરંતુ ખોળા માંથી માથું હટાવવાની ચેષ્ટા ન કરી.
કલાવતી ના હૃદય ના જોરથી ધબકતા ધબકારા,તેમના કાન માં સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. પોતાના ખોળામાં માથું નાખી સૂતેલા બાપુ ની છાતી ઉપર કલાવતીએ પોતાનો શુંવાળો હાથ પ્રસરાવયો .બાપુએ નજર નીચેથી હટાવીને કલાવતીની આંખોમાં મેળવી. કલાવતીએ સાંભળ્યું હતું કે બાપુની આંખોમાં એવું વશીકરણ છે કે તે ગમે તે વ્યક્તિ તેમની આંખોમાં જોતા જ તેમને 'વશ' થઈ જાય છે. પરંતુ કલાવતી ને તે આંખો માં 'વશીકરણ' નહીં, પરંતુ નર્યો 'પ્રેમ નિતરતો દેખાયો .
' હું આપને સમર્પિત થવા માગું છું બાપુ !' કહેતાં તેણી હળવે હાથે બાપુની છાતી પ્રસરાવી રહી .
' સમર્પણ વગર મોક્ષ નથી આશા. પરંતુ એ માટે ઘણી મહેનત અને કઠોર સાધના કરવી પડે છે !' કહીને બાપુ હળવે રહીને ખોળામાંથી બેઠા થયા .
આમ તો બાપુ 'મોક્ષ' આપવાની સાધના માટે 16 વર્ષથી ઉપરની અને 20 વર્ષથી નીચેની કુમારીકાઓ'ને જ પસંદ કરતા હતા. અને મોક્ષ મેળવવા માંગતી એ વય ની કેટલીય કુમારીકાઓ બાપુને પોતાના આશ્રમોમાંથી પોતાના અંગત સેવકો દ્વારા મળી રહેતી હતી. પરંતુ કલાવતી ને તેમણે જ્યારે પ્રથમ વખત જોઈ ત્યારથી જ તેમનું 'દિલ' તેના તરફ આકર્ષાયું હતું. અને એ આકર્ષણ દિવસે- દિવસે વધતું ચાલ્યું હતું .
ભારતની સરહદો થી હજારો કિલોમીટર દૂર, ઊંચે આસ માનમાં, એક બાજુ વિન્ડોનો પારદર્શક કાચ હતો. બાકીની ત્રણેય બાજુ રેકઝીન ના કાપડના પડદાનું આવરણ હતું. હજારો ફૂટ નીચે ધરતી હતી. અને ઉપર ખુલ્લું આકાશ હતું બાપુએ કલાવતીની આંખોમાં આંખો પરોવી. જેમાં પ્યાસ હતી,વિહળતા હતી, હોઠોમાં હાસ્ય સાથે ખુલ્લું નિમંત્રણ હતું. ને બાપુએ હળવેક રહીને કલાવતીના સુવાળા હોઠ ઉપર પોતાના હોઠ મૂકીને, એક દીર્ઘ ચુંબન ચોડી દીધું. કલાવતી ઉત્તેજીત થઈ ગઈ. રોમાંચિત થઈ ઊઠી. બાપુ જાણે કે તેણી ને 'મોક્ષ' તરફ દોરી રહ્યા હતા.
પ્રત્યુતરમાં _કલાવતી'એ પણ બાપુને ચુબનો થી નવડાવી દીધા. કેટલોક સમય એમજ અધર-રસ માણ્યા બાદ બંને એ પોતાના તન અને મન ઉપર કાબુ મેળવી લીધો.
હજુતો તેમની પાસે ઘણો સમય હતો. પૂરા છ કલાક તેમને વિમાનમાં મુસાફરી કરવાની હતી. તેથી પોતાના ભૂતકાળ અને ભવિષ્યના 'લક્ષ' વિશે કંઈક કહેવા બાપુએ કલાવતીને વિનંતી કરી. અને કલાવતીએ તેમના સંઘર્ષની સંપૂર્ણ 'કથા' તેમણે કેવી રીતે શરાબના ધંધામાં ઝંપલાવ્યું તે કેવી રીતે રાજકારણમાં આવી, તે બધી જ કથા. પોતાના અને ચુડાસમાના 'અફેર' અને બારોટ સાહેબના 'સુવાળા' સંબંધોને બાદ કરીને બધી જ કહાની કહી સંભળાવી. અને કલાવતીએ છેલ્લે ત્યારે પોતે જોયેલા એ 'મહાસ્વપ્ન' ની પૂરી કહાની કહી સંભળાવી. અને પોતે કોઈપણ ભોગે એ સ્વપ્ન સિદ્ધ કરવા માટે કરેલા 'નિશ્ચય'ની વાત કરી ત્યારે તો બાપુ 'આભા' જ રહી ગયા .
પોતાના અનુભવના આધારે કલાવતી નું દ્ઢ માનવું હતું કે' આ દુનિયામાં પૈસા હોય તો બધું જ મેળવી શકાય છે. અને પોતે જોયેલા એ સ્વપ્ન ને સિદ્ધ કરવા માટે ઓછામાં ઓછા 20,000 કરોડ રૂપિયાની ભવિષ્યમાં જરૂર પડશે તેમ પણ જણાવ્યું .અને એ 20,000 કરોડ રૂપિયા પોતે કેવી રીતે મેળવી લેશે એ યોજના પણ બાપુને સમજાવી. પરંતુ એ માટે શરૂઆતમાં હાલ પોતાને 200 કરોડ રૂપિયા ની તાત્કાલિક જરૂર છે. અને એ 200 કરોડ રૂપિયા બાપુ પોતાને આપે તેવી વિનંતી અને આજીજી કરી. અને એ રૂપિયા વ્યાજ સાથે તેમને પોતે પરત આપી દેશે એવી કલાવતીએ ખાતરી આપી અને વચન પણ આપ્યું .
કલાવતી ના જીવન ની કહાની, તેની ભવિષ્યની યોજના તેનું 'સ્વપ્ન' અને તેને સિદ્ધ કરવા તેણીએ કરેલા નિશ્ચય ની વાત સાંભળી બાપુ વિચારમાં પડી ગયા. કલાવતી વિશે તેમણે પણ ઘણું -બધું વિચારી રાખ્યું હતું. અને ઘણી બધી કલ્પના કરી હતી. તેઓ તો 'કલાવતી' ને સદા ને માટે પોતા ની સાથે રાખવા માગતા હતા. તેણી ને સાધ્વી 'આશા દેવી તરીકે દેશ અને દુનિયામાં પ્રખ્યાત કરવા માંગતા હતા. અને ભવિષ્યમાં પોતાની 'ઉત્તરાધિકારી' નિમવા માગતા હતા. પરંતુ કલાવતી નું 'સ્વપ્ન ' તેના થી ઘણું જુદું હતું . અને તેના થી ઘણું 'ઊંચું' હતું.
આમ તો 200 કરોડ રૂપિયા 'કલાવતી'ને ધીરવા એ બાપુ ને મન કોઈ મોટી વાત ન હતી. કારણ કે 200 કરોડ કે 300 કરોડ રૂપિયા તો તે કેટલાય બિલ્ડરો અને ઉધોગપતિ ઓને વ્યાજે ધીરતા હતા. ને એ નાણાં ની 'સેફટી ' માટે કારખાનું, કંપની, જમીન, કે અન્ય