"જીવી લે..."
હમણાં હમણાં જ કિંજલ દવેનું ' જીવી લે' નામનું એક નવું સોન્ગ રિલીઝ થયું છે. જેના શબ્દો 'રાજવીરસિંહ વાઘેલાએ' લખ્યા છે. આ ગીતના શબ્દો અને સાથે કિંજલ દવેનો અવાજ તમને એક અલગ જ ફીલ આપશે. ઓછામાં ઓછી એક વાર તો આ ગીત સાંભળવું જ જોઈએ. આપણે ગીતો મનની શાંતિ માટે સાંભળતા હોઈએ છે પણ આ ગીતના શબ્દો કોઈ પણ માણસને મોટિવેટ કરવા માટે પૂરતા છે. ઘણા લાંબા સમય બાદ એવું સોન્ગ સાંભળવવા મળ્યું કે, જેના શબ્દોને ખરેખર જીવનમંત્ર બનાવવા જોઈએ. ઘણી વાર લાંબા લાંબા મોટિવેશન વીડિયો જોઈને પણ માણસમાં એ હિંમત કે એ ઉત્સાહ નથી આવતો અને એક સોંગની એકાદ લાઈન જીવનમાં ઘણા મોટા બદલાવ લાવી શકે છે. આ સોંગની એક પંક્તિ ઘણી સમજવા જેવી છે કે, "થવાનું હશે એ થાવાનું પસી તો જોયું જવાનું બે ઘડી તું જુમી લે..."
ઘણી વાર માણસને ખબર જ હોય છે કે, આ થવાનું છે છતાં એ વાતનું ટેન્સન લઈને ફર્યા કરતો હોય છે. ખરેખર ટેન્સન હોતું નથી પણ માણસને નાની નાની વાતોમાં ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે. ક્યાંય વાંચ્યું હતું કે, "ચિંતા એ ચિતા સમાન છે." આ ચિંતામાં જ માણસ જીવવાનું ભૂલી જાય છે અને સમય જતો રહે છે. 'જે થાય એ જોયું જશે ' આવા વિચાર સાથે જીવતો માણસ જ ચિંતા વગર ખુલીને જીવી શકે છે. એક ધોરણમાંથી બીજા ધોરણમાં આવવા માટે પણ બાળકે પરીક્ષા આપવી પડતી હોય તો આતો જીવન છે. આગળ વધવા માટે પરીક્ષા આપવી જ રહી. હસતા હસતા બાળક બનીને પરીક્ષા આપજો જરૂર સફળતા મળશે.
જીવન ક્યારેય એકધાર્યું ચાલતું જ નથી અને એકધાર્યુ જીવન આપણને પણ ગમતું નથી. જે છે એ સ્વીકારીને આગળ વધતા શીખવું જોઈએ. તો તૈયાર છો ને તમે બધા જીવવા માટે...??
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
હો દુનિયા છે વાતો કરશે, પરવા નહીં કરવાની
હો જિંદગી તો મોજથી મોજથી જીવવાની
એ શોખ પુરા કરી લેવાના, કેવા વાળા તો કેવના
જંજટ આ તું ભૂલીને, એ હા જીવી લે તું જીવી લે
મન ભરીને જીવી લે
-SHILPA PARMAR "SHILU"