ક્યારેય પણ વ્યક્તિ હંમેશા એક સમાન નથી રહી શકતું એ કારણે નહીં કે હવે એ મોટી વ્યક્તિ બની ગયું છે કે એને સરકારી નોકરી લાગી ગઈ છે પણ એ કારણે કે જ્યારે એની પાસે કશું ન હતું ત્યારે લોકો નો વ્યવહાર એમના પ્રત્યે કેવો હતો , ને કઈ રીતે એને ટ્રીટ કરતા હતા, ને હવે જ્યારે એની પાસે બધું જ છે ત્યારે એમનો વ્યવહાર કેવો હોય છે એ વ્યક્તિ એ જોયું જ નથી પણ અનુભવ્યું પણ છે કે શું બદલાવ આવ્યો છે અને એ પછી કદાચ એ બદલાય જાય છે વ્યક્તિ સહન કરતા ને જતું કરતા શીખી લે છે પછી લોકો ને લાગે છે કે વ્યક્તિ બદલાઇ ગઈ છે એ નહીં બદલાઈ તમે એને મજબુર કરી દીધી છે બદલાવા માટે , એને ખબર છે ખરાબ સમય માં કોણ એની સાથે હતું ને કોણ એની સામે હતું વ્યક્તિ એનો સ્વભાવ નથી બદલતો પણ બદલે છે પોતાને તે સ્વીકારી લે છે, કે હા ચાલો આ પણ ઠીક છે, પછી એને કોઈ ફરક નથી પડતો કોઈ શું કહે છે, કોણ શું કરે છે, શા માટે કરે છે, હા, પણ એને એ લોકો થી ફરક પડે છે જે હંમેશા તેઓ ની પડખે હતા, ને વ્યક્તિ એ બધા ને જ કદાચ પોતાની દુનિયા માની ને પછી ચાલે છે, એમાં મમ્મી પપ્પા બહેન, પતિ ને આપણા મિત્રો હોય છે જેને આપણ ને ઝુપડી થી લઈ ને મહેલ તો નહીં પણ એક મકાન સુધી નો સફર કરતા જોયા છે , ને કદાચ આવા મધ્યમ વર્ગ માં થી આવનાર વ્યક્તિ ઘણું બધું સમજી શકે છે, ને જો એમાં થી મારા જેવા હોય જેના મમ્મી પપ્પા ને માત્ર ૨ જ દિકરીઓ હોય એણે તો કદાચ આંખ આડા કાન ની સાથે સાથે કાન આડા હાથ પણ કરવા પડે , અરે દિકરી જ તો છે શું આટલી ભણાવવી છે, સરકારી નોકરી થોડી ના લાગશે , કેટ કેટલુંય છતા એક પરિવારે એટલું તો સાબિત કરી બતાવ્યું કે લોકો નું સાંભળવા
કરતા પોતાના પર અને પોતાના સંતાન પર વિશ્વવાસ કરવો સારું કેમ કે જ્યારે મહેનત બોલે છે ત્યારે લોકો એ ચુપ રહેવું પડે છે .
_❤ લાગણી ના સરનામે