જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 8મા સ્થાને આવે છે. તે તમામ નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. જો કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ ન હોય. પરંતુ જ્યારે પુષ્ય નક્ષત્ર સાનુકૂળ હોય છે ત્યારે બધું જ અનુકૂળ થઈ જાય છે. જો તે રવિવારે આવે તો તેને રવિ પુષ્ય નક્ષત્ર કહેવાય છે અને જો ગુરુવારે થાય તો તેને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવાય છે. આ દિવસે નવો ધંધો શરૂ કરવાથી લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને આધ્યાત્મિક માર્ગ પર ચાલવા સુધીના તમામ કામ કરવા માટે શુભ માનવામાં આવે છે.