પરિણીત સ્ત્રીઓ માટે.....
આપણને ખબર છે કે આપણા મા બાપ આપણને કેટલો પ્રેમ કરે છે, આપણા મા બાપને પણ ખબર છે કે આપણે એને કેટલો પ્રેમ કરીએ છીએ, તો આપણા મા બાપની આગતા સ્વાગતા ઓછી કરીશું અથવા ઓછો સત્કાર કરીશું તો ચાલશે અને આપણા મા-બાપને ખોટું પણ નહીં લાગે. પણ સાસરીમાં આપણે બધાનું ધ્યાન રાખવું પડશે એ પરિણીત સ્ત્રીની જવાબદારી છે.
પેલો સુવિચાર છે ને? કે ઘસાઈ ને ઉજળા થઈએ એ સુવિચાર પરિણીત સ્ત્રીઓને ખૂબ જ લાગુ પડે છે. કે સાસરિયામાં પ્રામાણિકતા, ઈમાનદારી રાખીને ઘર સાચવવું પડે છે ત્યારે સાસરી પક્ષના તમામ લોકોના દિલમાં સ્થાન મળે છે. આપણા મા બાપ ના દિલમાં આપણું સ્થાન હોય જ છે અને ઉચ્ચ જ હોય છે તો ચાલો હવે સાસરી પક્ષના તમામ લોકોના દિલમાં પણ સ્થાન બનાવીએ.