એ શંકર આજે પણ આવે છે,
જિંદગીના વિષ ગટગટાવી જાય છે,
એ કૃષ્ણ આજે પણ આવે છે,
સંસારમાં સાચા ને જીતાવી જાય છે.
ફિકર ના કરીશ જો લડવું પડે તો,
ઘણી મહાકાળી રક્તબીજને મારી જાય છે,
ક્યારે રાધા, ક્યારેક મીરા બનીને આવશે,
એ પ્રેમના પાઠ આજે પણ ભણાવી જાય છે.
કળિયુગ બનેલા કાળજાળ દોજખમાં,
એ વરાહ બનીને ડૂબેલાઓને ઉગારી જાય છે,
એ શંકર બનીને આજે પણ આવે છે,
જિંદગીના દરેક વિષ ને ગટગટાવી જાય છે.