મારા રામ આવશે..મારા રામ આવશે...
રામજી કશે ગયા હતા ? તે આવશે?
તે તો સદાય હતા જ છે ને રહેશે જ
આવી છે માત્ર તેમની પ્રતિકૃતિ..
જાંબુદ્વિપે ભારત ખંડે આર્યાવર્ત જ નઈ
પણ છે સદા કણ કણમહી, આતમમહી રામ..
આમ તો સહજ જ છે કહેવું કે ,
મારા રામ આવશે, પૂછ્યું કદી આતમને?
શું કામ આવશે ? કારણ ખરેખર તો ભુલાયા છે રામ !!
છે ભીતરમાંહી અયોધ્યા કે,તનમાંહી અવધ ?
હા..જો કદી નીરખે ને પૂછે અંતરમહી
બસ આટલું.. સ્વાર્થ મૂકી જન્મદાતાના એક જ બોલે..
કરશે પુરી તેમની આજ્ઞા ને આશ, તો જ આવશે રામ..
જીવનપથના હર ડગે, ચાલશે જો સત્ય સંગાથ,
તો જ આવશે રામ..દેખી કોઈ દિન કે પીડિત,
ભરશે આહ કેરો નાદ ને જો વહેશે અશ્રુ નયનમાંહી
તો જ આવશે રામ..હશે પત્ની કેરું માન ને સુરક્ષા,
તો જ આવશે રામ...હશે શબરી કેરી અનન્ય ભક્તિ,
તો જ આવશે રામ..હશે ભાતૃભાવ એક અનંત,
તો જ આવશે રામ..હશે વિશ્વાસ સહકામી સેના પર,
તો જ આવશે રામ..હશે જન્મભૂમિ થકી ગર્વ,
કર્તવ્ય ને નિષ્ઠા, તો જ આવશે રામ..
ગળશે કડવા ઘૂંટડા,સ્નેહી કે કુટુંબીના,
તે છતાં કરશે તેમને માફ,તો જ આવશે રામ..
હશે પશુ પંખી, કીટ પતંગકેરી કરુણા, તો જ આવશે રામ..
મળશે ઘણા શત્રુ રાવણતણા જીવનમધ્યે,
જો હણશે આદરસહ, તો જ આવશે રામ..
મેલીને ઊંચ નીચ કે નાનું મોટું બેસશે સહપાસ,
તો જ આવશે રામ..હશે પરાક્રમી,કૃતજ્ઞ ને ક્ષમાવાન,
છતાં રહેશે સરળ, તો જ આવશે રામ..
હશે હર પળ પ્રભુ સ્મરણ હનુમંત સરીખું,
તો જ આવશે રામ..કરશે ધર્મની રક્ષા ને
અધર્મીને ભણાવશે પાઠ, તો જ આવશે રામ..
હોય ભલે સર્વજ્ઞ સંપન્ન, અજય, પરાક્રમી,
છતાં રહેશે સદા નમ્ર, તો જ આવશે રામ..
સહેલા નથી આમ આવકારવા રામ ને,
છેવટે તો આ જીવ મળ્યાનું થાશે સાચું ભાન !!
તો ચોક્કસ આવશે મારા રામ..
જય શ્રી રામ...જય જય શ્રી રામ..