Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુઃખ જાશે તો સુખ આવશે ....
અંધકાર જાશે તો અંજવાળુ આવશે ....
નિષ્ફળતા જાશે તો સફળતા આવશે .

વાક્યોની રચના અને બૌદ્ધિક રીતે સાવ સાચુ કહેવાય પણ જીવન મા આ મુજબ વિચાર અને કર્મ કરતા ભાઠે ભરાઈ જતા વાર નથી લાગતી . કારણ કે આ રીતે કામ કરનાર સૌથી પહેલા જેને દુર કરવુ છે એ લાગણી નો વિચાર વધારે કરશે , દુઃખ કેમ કપાય , અંધકાર મા રસ્તો કેમ દેખાય વગેરે વગેરે .

આપણુ મન અલાદીન ના જીન જેવુ છે , તે માત્ર એ જ સાકાર કરશે જે વિચાર, જે લાગણી એમને આપણા દ્વારા મળશે .
હવે આપણે જ હંમેશા દુઃખ ને , નિષ્ફળતા ને જ વાગોળતા રહીએ છીએ. આપણે એને ટાળવા નુ ભલે વિચારીએ પણ એને વાગોળવાથી મન એને જ સત્ય સમજીને સાકાર કરશે .

એને બદલે સફળતાના,સુખના જ વિચાર કરવા ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય.

Gujarati Thought by Jay Vora : 111781500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now