આપણે કોઈક વ્યક્તિ થી વાત કરીએ , મળીયે,
એક દિવસ...
બે દિવસ...
ત્રણ દિવસ...
જાણે અજાણે આપણે એ વ્યકિત સાથે એક અતૂટ અને નિઃસ્વાર્થ લાગણીના બંધન માં બંધાઈ જતા હોઈએ છીએ
( હું અહી માત્ર પ્રેમની લાગણી ની વાત નથી કરતી ,આ લાગણી મિત્રની કે પછી કોઈ પણ સંબંધની હોય શકે..)
એક સમય એવો પણ આવે કે
આપણી ખુશી એ વ્યક્તિ પર નિર્ભર થઈ જાય..
એમનાથી વાત ન થાય તો મન બેચેન રહે,
એ વ્યક્તિ ની ચિંતા થાય
એ વ્યક્તિ જો દુઃખી હોય તો આપણે પણ દુઃખી થઈએ,
અને એ વ્યક્તિ જો ખુશ હોય તો આપણે પણ ખુશ!!
આપણા મનમાં ડર બેસી જાય કે
ક્યાંક મારાથી એવું કંઇક કામ ના થઈ જાય કે આ વ્યક્તિને દુઃખ પહોંચે..
અને આ ડર ક્યારેક સાચો પણ પડે છે
જાણે અજાણે એ વ્યક્તિને આપણાથી દુઃખ પહોંચે છે
અને છેલ્લે આપણે પોતાનો જ વાંક કાઢીએ છીએ...
આવા વ્યક્તિઓ ખૂબ જ લાગણીશીલ હોય છે
આવા વ્યક્તિઓ સંબંધ ને જાળવી રાખવા માટે ક્યારેક ખોટું પણ સહન કરી લેતાં હોય છે
અને આ વ્યક્તિઓ ને જ લાઈફ માં ખુબ વધારે દુઃખ સહન કરવું પડતું હોય છે...
- unknown person