સાવ સરળ લાગતા પ્રેમ ને જટિલ માણસે બનાવ્યો...
હરહંમેશ જે પ્રેમ ને પામવા સારું જેટલી priority આપી હોય બસ મળી ગયા ની બીજી ક્ષણ થી જ એને તુચ્છ પણ આ માણસે જ બનાવ્યો....!!
જ્યારે સમય જતાં ઇમારતો જર્જરિત થાય ત્યારે એને પણ જાળવણી ની જરૂર પડતી હોય છે તો આ તો કુદરતે બક્ષેલ અને ચેતન પૂરું પડતા પ્રેમ ની વાત છે.. શું કામ એની જાળવણી આપણે કરી નથી શકતા.....!!!
કુદરત પણ આ માણસ ને જોઈને અચંબિત થઈ જતો હશે..! ક્યાં કુદરત નું એ સર્વહિતાય સર્વસુખાય નું આચરણ ને ક્યાં આ સ્વાર્થી માણસ ની દુનિયા....!!
ખરેખર આ સર્જનકર્તા ની દુનિયા ને બધા એ સાવ જૂજ સમય માં જ જર્જરિત કરી નાખી.
-dr.Hina modha.