Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મૃત્યુંજય*

ॐ नम: शिवाय ।
ॐ परमात्मने नम: ।
મૃત્યુંજય એટલે જેણે મૃત્યુને જીતી લીધું છે.
એવું કોણ છે?
એ છે દેવાધિદેવ,રાજાધિરાજ,કૈલાશપતિ,ત્રણે લોકના અધિષ્ઠાતા, અર્ધનારેશ્વર કાળોનાં કાળ શ્રી મહાકાળ મહાદેવ..!

મહાદેવ થકી જ આદિ મધ્ય અને અંત છે,
મહાદેવ જ ભૂત,વર્તમાન, અને ભવિષ્ય છે.
મહાદેવ જ સવાર,મધ્યાંહ્ન અને રાત્રીના કારક છે.
મહાદેવ જ સર્જન, વિસર્જનના કારક છે.
આવાં ગુણોનાં સાગર,ભોળાભંડારી શિવજી એ મૃત્યુ પર પણ વિજય અપાવવામાં અગ્રેસર છે.
એમનો મહામૃત્યુંજય મંત્ર એ મહામંત્ર તરીકે ઓળખાય છે.આ મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આધિ,વ્યાધિ અને ઉપાધિ ટળે છે.

સાક્ષાત શિવજીએ એમનાં સ્વમુખે આ વાત શિવપુરાણમાં કહી છે.

કર્મફલદાતા શનિદેવની
ત્રાંસી દ્રષ્ટિનો પ્રભાવ આ મંત્રના જાપ દ્રારા નાશ થાય છે, શનિની પનોતીની મહાદશા ચાલતી હોય તો એમાં પણ રાહત મળે છે .
સમગ્ર સૃષ્ટિના એકેએક અણુમાં વ્યાપ્ત હોવા છતાંય નિરાહંકારી,નિરાંકારીઅને નિરામયા ભગવાન શિવજી સર્વે નું યોગક્ષેમનું વહન કરી રહ્યા છે.
શરીરનાં ત્રણ બંધમાં એ જ વિદ્યમાન છે.
ॐકારના મૂળાધારમાં
શિવજી રહેલા છે.
ઓમકારના આધારભૂત શિવજી છે.
મૃત્યુંજય મંત્ર સહિત દરેક બીજમંત્રોની શરૂઆત જ ॐ થી થાય છે.
આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે.
આવો તો આજનાં શિવરાત્રીનાં આ પાવન પર્વ પર મૃત્યુંજય શિવજીના મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરીએ.

પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાથ્ય માટે લાભકર્તા છે. એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે.

*ॐ त्रंबकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम ।*
*उर्वारुकमिव बंधनात मृत्योर्मुक्षीय मा अमृतात ।।*

*महादेव हर ।*

ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Blog by Rutambhara Thakar : 111689286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now