આજે વિશ્વ જળ દિન નિમિત્તે સૌને વિનંતી કે પાણીનો બગાડ ન કરો અને શક્ય હોય એટલું બચાવો. જેટલું જરુરી હોય એટલું જ ઉપયોગમાં લો.
એ ન ભૂલશો કે ભલે ભવિષ્યમાં આપણે આ ધરતી પર ન હોઈશું જ્યારે પાણીની અછત સર્જાશે, પણ આપણી જ આવનારી પેઢી પાણી વગર વલખાં મારતી હશે.
માટે બચત એ જ ઉપાય છે. શક્ય હોય તો વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી, જેથી આખું વર્ષ માત્ર પીવાનાં પાણીની જ જરુર પડે બાકી બધાં કામ માટે વરસાદી પાણી જ ચાલી જાય.