અમદાવાદમાં,
1. ક્રિકેટરો હોટલ પાછા કેવી રીતે જશે?
2. કરફયુ રાતે 9 થી શરુ થાય છે.
3. મેચ રાતે 11 વાગે પુરી થશે.
4. શું સવારે 6 સુધી સ્ટેડીયમમાં બેસી રહેશે?
5. કે પછી કાયદો તોડશે ?
6. જો કાયદો તોડશે તો તંત્ર તેમની વિરુદ્ધ પગલાં લેશે?
7. અને જો એમને ખાસ કરફ્યુ-પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તો શું ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાય છે?
8. જો ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાતું હોય તો શું શહેરનો કોઈપણ નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે ?
9. જો કોઈપણ ક્રિકેટોત્સુક નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે તો એણે કરફ્યુ-પાસ ક્યાંથી મેળવવાના રહેશે?
10. અને જો આવા કરફ્યુ-પાસની કોઈ જોગવાઈ ના હોય તો ?... ફરીથી સવાલ નંબર-1 ....