" સ્મશાન કે સંસાર "
મફતનો રોટલો , નવરાશનો ઓટલો , અને રોગનો ખાટલો એ ત્રણેય સગા ઓ છે. આ ત્રણેયની એક બહેન નું નામ "ગરીબી" છે આ ચારેયની સગી માં નું નામ "આળસ" છે.
તમે ગમે તેટલા સારા કામ કરો ગમે તેટલાં સારા બનો કે ગમે તેટલાં ઈમાનદાર બનો પરંતુ આ દુનિયા તો તમારી ફક્ત એક જ ભૂલની રાહ જોતી હોય છે.
કળિયુગ છે જુઠ્ઠા નો સ્વીકાર થાય અને સાચાંનો "શિકાર" થાય.
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો કેમકે "સાકર અને મીઠાં" નો રંગ એક જ હોય છે.
કોઈ પણ માણસ જન્મથી ખરાબ નથી હોતો પણ સમય અને સંજોગો માણસ ને ખરાબ બનાવી દે છે.
"કર્મ" જ એક એવી હોટલ છે જ્યાં આપણા ઓર્ડર નથી આપવો પડતો , આપણ ને એજ પીરસવામાં આવે છે જે આપણે જીવનમાં રાંધ્યું હોય છે.
એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય , પણ કર્મ જ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય મંદિર ત્યાં જ બની જાય.
"સ્મશાન" કરતાં "સંસાર" વધુ ખતરનાક છે , કેમકે "સ્મશાન" મરેલાને જ બાળે છે જ્યારે "સંસાર" તો જીવતા ને બાળે છે.