સત્ય - અહિંસા ની મૂર્તિ હતા
ભારત ની આત્મા ને ,સાબરમતી ના સંત હતા
ખાદી નો ચરખો જેનાથી ચાલતો હતો દુશ્મન સાથે પણ તેને પ્રેમ રાખ્યો હતો
કોઈ કહે સાબરમતી ના સંત , તો કોઈ કહે ખાદી - ચરખો કાંટનારા
આઝાદી ના રંગ માં દુનિયા ને રંગનારા
જે અંગ્રેજો એ શહેરો ને ડરાવ્યા
વગર હથિયારે બાપુ એ તેને ભગાડ્યા
દેશ વૈષ્ણવજન ના નાદ થી ગુંજ્યું
ઈશ્વર - અલ્લા ના ગાન થી રંગાયું
બસો વર્ષ સુધી અંગ્રેજો એ કરી ગુલામી
ત્યારે ભારતીયો ની લોહીથી ભરેલી નીકળી છે નનામી
હે ! બાપુ આ દેશ ને નર્ક માંથી તે સ્વર્ગ બનાવ્યું
ભારતીયો ના જીવન ને ખુશીઓ થી સજાવ્યું
ભારતીયો ની જે શાન છે
મહાત્મા ગાંધી જેની પહેચાન છે
માનવતા પર ઉપકાર કરવા વાળા
બાપુ તમને શત શત નમન!