આત્મા પરમાત્મા જુદા રહ્યા સૌ કાળ (અજ્ઞાન દશા એ ) સુંદર મેલા કર દિયા જબ ગુરૂ મળ્યા દયાળ
તત્વ એકજ છે પણ અજ્ઞાન કાળે જુદું લાગતું હતું પણ સદગુરુ દયાળુ મળ્યા ને એક કરી નાખ્યું,,
એકજ તત્વ પ્રગટ છે સૌ લોક માં
બીજું માને ભ્રમણા ઉભી થાય જોં,,,,, એકજ તત્વ
એકજ પ્રભુ અનેક રૂપે દેખાય છે,
સકલ મુરતી માં દર્શન એના થાય જોં,,, એકજ તત્વ
અનેક પંથ એકજ પ્રભુ માટે રચ્યા,
જેમ સઘળી નદીઓ સાગર માં સમાય જોં,, એકજ તત્વ
અનેક સાસ્ત્રો એકજ વાત ઉચ્ચાર તા
હૈ નામ(પ્રભુ ) વિનાનો ઠાલો નહીં કોઈ ઠામ જોં,
,, એકજ તત્વ
અનેક આકારો કાલિદાસ એનાજ છે
પણ સવરૂપ જણાય તો શાંતિ અહીં પમાય જોં,,, એક જ઼ તત્વ