ગંગાસતી માની વાણી...5
🍁🍁🍁🍁🍁🍁🍁
પદ્માવતીના રે જયદેવ સ્વામી તેઓ પૂરણ કહું છું ઇતિહાસ રે
એકાગ્ર ચિત્તથી તમે સાંભળજો એતો હતા હરિના દાસ જી
ગિત ગોવિંદ જ્યારે લખ્યું જયદેવ જેનું નામ અષ્ટિ પદી કહેવાય છે
પદ પદ પ્રત્યે ભક્તિરસ પ્રગટ્યો જેથી,પદમાવતી સજીવન થાય જી
ગોપીયુ ને કૃષ્ણની લીલા લખતા જયદેવ રહયા સમસમી જી
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા પ્રત્યક્ષ હસ્તગુણ માંહી જી
ભક્તિ એવી પાનબાઈ પરમ પદ દાયની તમને કહું છું સમજાય
ગંગા રે સતી એમ બોલ્યાં ને જીવ મટી ને શિવ થાય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ વાણી ક્રમ મા રહી જતા મૂકી રહ્યો છું....👏🏻