પશુ કે પક્ષી, તેઓ ની માત્ર એક જ સમસ્યા છે કે તેઓ આપણી જેમ બોલી નથી શકતા. નહિતર અત્યાર સુધી ના કરેલા તેમના પર ના અત્યાચારો નું આપણને શું પરિણામ મળ્યું હોત એ વિચારવા લાયક છે.
વિચારો કે ઈશ્વર અચાનક આખી બાજી પલટી નાખે અને મનુષ્યો ની બુદ્ધિ અને વાચા પાછી લઈ લે અને જાનવરો ને મનુષ્યો જેવી બુદ્ધિ અને વાચા આપી દે તો...
ઉદાહરણ તરીકે, અચાનક ક્યાંકથી બંદૂક ની ગોળી શરીર પર વાગી હોત,
આપણાં શિંગડા નથી તો નાક યા કાન ઉખડી જતાં,
ટ્રેન યા ગાડી આપણું પ્રાણ પંખેરું લઈ લીધા પછી જ રુકેત,
આપણે પણ ફટાકડાં ખાઈને ફૂટી શકેત. બીજું બી ઘણું બધુ થઈ શકે છે.
પણ મને લાગે છે કે બિચારા જાનવર આપણી સાથે એવો દુરાચાર કદાચ ન કરે કેમકે એ મનુષ્ય નથી ને!
#પશુ