મારા માટે આજનો દિવસ બહુ મહત્વનો છે! મારા દોસ્ત, ગુરુ, બોયફ્રેન્ડ અને પ્રિય એવા કૃષ્ણ નો જન્મદિવસ !
સામાન્ય રીતે આપણે birthday આનંદ થી ઉજવીએ છીએ પણ કૃષ્ણજન્મ તો આનંદથી યે વધુ ઉત્સવનો દિવસ છે.
એ જનમ્યા હતા કે નહિ, ઈશ્વરનો અવતાર હતા કે મહાન માણસ...વેદવ્યાસ ની કલમે જે કૃષ્ણ આપણી સામે મૂક્યા છે એ પાંચ હજાર કે વધુ વર્ષો પછી પણ મારી સાથે જીવે છે એવું મને રોજ લાગે છે.
મોહ, ઈર્ષા, ક્રોધ, અભાવ, અધૂરપ, ભય, ચિંતા, અપેક્ષા...બધું જ છે, કારણકે સામાન્ય છું પણ એ બધું મારામાંથી પસાર થઈને એના તરફ જ જાય છે એવું સમજી અને અનુભવી શકું છું, હવે !
હું એની સાથે વાતો કરું, ઝગડી પડું, રિસાઈ જાઉં, રડું, હસું અને મારી નાની મોટી બદ્ધી વાત એની સાથે શૅર કરું...he is like a part of my daily routine !
શ્રધ્ધા થી શરૂ થયેલો આ સંબંધ શરણાગતિ સુધી પહોંચ્યો છે! અથવા, એણે જ પહોંચાડ્યો છે, કદાચ !
એને ખબર છે,કહેવા કે માગવાની જરૂર નથી! એ કરશે જ, અને નહિ કરે તો મારે લાયક નહિ જ હોય...
એવી કોઈ બેનિયાઝ, બેફિકર, બેખુદ મનોદશામાં છું...
કૃષ્ણની ભક્તિ નહિ, કૃષ્ણ સિવાય સર્વ અને સહુ થી મુક્તિ નો પ્રવાસ !
" શ્રધ્ધા થી શરૂ થયેલો આ સંબંધ શરણાગતિ સુધી પહોંચ્