મૃત આત્મા ની વેદના: પિંજર મારું
_________________________
ખોવાયું.
_______
હું શોધતો રહયો પણ કદી ના મળ્યું જે પિંજર મારૂ ખોવાયું હતું,
બે ઘડી રેઢું મૂકી ફરવા ગયો ત્યાં પિંજર મારૂ ખોવાયું હતું,
ભલે ખખડધજ હતું, જર્જરીત હતું પણ એ મારૂ પ્યારું હતું,ભલે રોગિષ્ઠ હતું પણ એ મારૂ પોતાનું ઘર હતું,
ફરી કરી ને પાછો ફર્યો ત્યારે એ સ્થાને હરકોઈ રડતું હતું,
કોઈ એ કહ્યું એને ચાર ખંધા ઉપર લઇ ગયા એ હવે બળતું હતું,
કોને ખબર કે બાળ્યું હતું કે કફન બનાવી છુપાવ્યું હતું,
પણ એ મારૂ પોતાનું પિંજર હંમેશ માટે ખોવાયું હતું.