Gujarati Quote in Blog by Prem_222

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

જય આપા ગીગા (સત્તાધાર નો ઈતિહાસ)

Part_06

Continues... Part_05...

બ્રિટીશ શાસન સામે ઇ.સ. ૧૮૫૭ માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઇ.સ.૧૮૫૮ માં અંગ્રેજો તરફથી દમન નિતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી ક્બ્જે કરવા વાઘેર ગરાસદાર જોધા માણેક,મૂળુ માણેક,દેવા માણેકે પોતાનું ઓખા મંડળ ક્બજે કરી પોતાની આણ વર્તાવી,આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટીશ લશ્કર અને ગાયક્વાડી લશ્કર લઇ ઓખામંડળ ઉપર આક્રમણ કર્યુ.બેટના કિલ્લઓનો લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને ચારલાખની કિંમતનું ઝવેરાત લુટી લીધું.તેમજ દ્વારીકામાં પણ પોતાનો ક્બજો જમાવ્યો.

જોધા માણેક, મૂળુ માણેક, દેવા માણેક ઓખામંડળમાંથી નીક્ળી અમુક સમય સુધી સતાધાર આવેલા.આરતી પછી આપાગીગાએ પુછ્યુ "શું મુઝવણ છે જુવાનો?" જોધામાણેકે બધી વાત કરી અને કહયુ કે આ ગોરાઓ તો પારકા મુલક્ના છે પણ આ ગાયક્વાડી લશ્કરે દ્રારીકાની દેવ સ્થાન ઉપર હાથ નાખ્યો છે એટલે મરતા પેહલા એને અમારુ પાણી બતાવી દેવુ છે.એટલા માટે ખડીયામાં ખાપણ લઇને ગીરના જંગલ ના આશ્રયે આવ્યા છીએ.અમરેલીના સર સુબા સામે આમારું બહારવટુ ખેડાશે.
આપાગીગાએ ત્રણેય જુવાનોનો વાસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યુ કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળુ માણેકે કરેલ બહારવટાની હકીક્ત ખુબ જાણીતી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર થી આગેવાનોએ ઠરાવ કરી લેખીત વિરોધ મુંબઇ ઇલાકાના વાયસરોય સુધી પોહચાડ્યો આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ આપાયો.દેવ સ્થાનનું તમામ ઝવેરાત અને ઓખામંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઇ.સ.૧૮૬૧ માં આ સમયે જોધા માણેક હયાત ન હતા.ગરાસ સંભાળી મૂળુ માણેક અને દેવા માણેક વિ.સં ૧૯૨૩ માં આપાગીગાને પગે લાગવા આવ્યા. આવા અનેકો પરચા આપાગીગાના છે.
આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સતાધારમાં સાચવી રાખવામાં આવી છે.સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતી કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્ર ની અસલ સંસ્કૃતિના નમૂનારૂપ પિત્તળના મોટા દાબડા,ક્ટોદાન,ગોળીઓ,હાંડા,બેડા વગેરે જળવાયા છે.ભૂલાઇને નાશ પામવાને આરે આવીને ઉભેલી દોઢેક સૌકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષે છે.
સતાધાર અને તુલશી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગિરયાત્રા પુરી થતી નથી.સતાધાર એટલે સત નો આધાર સ્વરૂપ કિર્તીસ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ.પરબવાવડીનાં સંત દેવીદાઅ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો એટલે જ સતાધાર એટલે 'સત્ત નો આશરો.'

આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું.આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઇનું નામ બદલી લાખુ રાખ્યું હતું.સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઇ,સુરઇને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઇ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઇ પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નિક્ળ્યા ત્યારે રસ્તામાં આવતા શાપુર ગામે પુત્રનો જન્મ થયો.પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું.મા-દિકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રેહતા તેમના સગાઓએ પણ તેને જોઇ મોઢુ મચકોડ્યું.

Continues with part_07...

Gujarati Blog by Prem_222 : 111496687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now