જે વાસ્તવિક છે તે એક જ વાસ્તવમાં વાસ્તવિક છે. વાસ્તવિક એટલે સત્ય =સાચું. અને સત્ય એ જ પરમેશ્વર તેથી જે વાસ્તવિક છે તે જ પરમેશ્વર છે.બાકી બધું મિથ્યા છે. જે કોઇ વાસ્તવિકતાને સ્વીકારીને જીવન જીવે છે તે કાયમ સ્વસ્થ રહે છે. વાસ્તવિકને જે સમજે નહીં, સ્વીકારે નહીં, ભ્રમમાં કે વહેમમાં રહે કે જીવે તે વ્હેલા - મોડા હેરાનગતિ પામે છે. વાસ્તવમાં વાસ્તવિકતા જ એક માત્ર કાયમી છે, બાકી બધું નશ્વર છે. જે વ્યક્તિ વાસ્તવિકને ઓળખી જતાં શીખી જાય છે અને વાસ્તવિક રીતે વર્તે છે તેનું જીવન જ વાસ્તવમાં વાસ્તવિક છે. ખોટું જીવન જીવનાર બાહ્ય રીતે કદાચ આપણને સુખી લાગે પણ ખોટું ક્યારેય લાંબુ ચાલતું નથી, વાસ્તવિકતાનો જ અંતે જય થાય છે. વાસ્તવિક એટલે real. જેમ real life અને rill એટલે કે ફિલ્મી લાઇફ વચ્ચે સો કિમીનું અંતર હોય છે તેમ વાસ્તવિક જીવન જ સાચું જીવન છે.