#પ્રેમ
પ્રેમ અેટલે શું?
પ્રેમ એ કોઈ સોંદો નથી કે જેમાં નફા-નુકસાનનો હિસાબ રાખવાનો હોય. પ્રેમ તો અહેસાસનો અસીમ સાગર છે. સમયની સાથે સતત ભરતી આવતી રહે છે, કયારેય ઓટ આવતી નથી. તેમાં જેટલા ડુબશૂં એટલો નશો ચડતો રહેશે અને એ નશો એવો હશે કે એમાં વધારે ને વધારે ઊંડા ઊતરવાની લાલસા કાયમ રહે છે. એક વખત જો એ નશાના ઊંડાણને માપી લીધું ને તો કોઈની એવી ત્રેવડ નથી કે તમને તમારા મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકે. પણ તમે જો જાતે આ નશાના ઊંડાણમાંથી બહાર નીકળીને છીછરી સપાટીએ આવશો અને નશો ઊતરશે ત્યારે જે ઉદાસી અને દુઃખના અફાટ સાગરમાં ફંગોળાશોને ત્યારે એક તણખલાની પણ હિંમત નહી થાય તમને આ અફાટ સાગર પાર કરાવવાની.