નમસ્કાર 🙏🙏🙏
✍ ઓનલાઈન શિક્ષણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને એક ઉત્તમ ઉપાય છે.
✍ વર્તમાન પરિસ્થિતિને જોતાં લાગે છે કે, હમણાં શાળા-કોલેજો ખૂલશે જ નહિ અને આ રીતે વિદ્યાર્થીઓને ઘરે બેસીને પણ શિક્ષણ આપવું જરૂરી બની જાય છે. નહિ તો તેઓ પોતાના શિક્ષણમાં પાછા પડી જાય. અને તે એક નોંધપાત્ર બાબત છે.
✍ જેને ભણવું જ છે, તે ગમે તે રીતે ભણવા મળે તો પણ સીન્સીયર થઇને ભણવા બેસી જ જવાના છે.
✍ ઓનલાઈન ફક્ત ભણવાનું જ નથી ચાલતું બલ્કી પરીક્ષા પણ ઓનલાઈન લેવાઈ રહી છે. જે વિદ્યાર્થીઓ માટે આગળના ધોરણમાં લઇ જવા મદદરૂપ પણ થઇ શકે છે.
✍ ઓનલાઈન શિક્ષણના ફાયદા સાથે ગેરફાયદા પણ છે, જે નોંધપાત્ર છે.
✍ જે વિદ્યાર્થી પાસે મોબાઇલ કે લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધા ન હોય તે આ શિક્ષણથી વંચિત રહી જાય છે.
✍ પ્રાથમિક કક્ષાના બાળકો આ રીતે કદાચ પૂરેપુરૂં જ્ઞાન ન મેળવી શકે તેવું પણ બને.
✍ ક્લાસરૂમમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે લાઇવ શિક્ષણ બની રહે છે અને ઓનલાઈન આપેલું શિક્ષણ રસપ્રદ ન બને તેવું પણ બની શકે.
✍ ક્લાસરૂમમાં શિક્ષણ આપવાથી શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે એક ગુરુ-ચેલાનો પ્રેમાળ નાતો બની રહે છે.
✍ વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસે ત્યારે શિક્ષકના ક્લાસરૂમમાં બોલેલા શબ્દો વિદ્યાર્થીના કાને અથડાય છે અને બોર્ડ ઉપર શિક્ષકના ટકોર કરી લખેલા જવાબો જાણે વિદ્યાર્થીને નજર સમક્ષ દેખાય છે.
✍ ક્લાસરૂમના શિક્ષણમાં વિદ્યાર્થી શિક્ષકને ન આવડતા પ્રશ્નો બે-ત્રણ, ચાર વાર પૂછી શાંતિથી જવાબ મેળવી શકે છે અને સમજી પણ શકે છે.
✍ આમ, ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા બંને છે.
સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ થઇ જીવન જીવવામાં મજા છે.
- જસ્મીન