Gujarati Quote in Thought by નવસર્જન

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નાની બાળા ભગવાન ને યાદ કરી રહી છે, આપણે બધાં આજે ભગવાન ને યાદ કરી રહ્યાં છીએ. હાલનાં સંજોગોમાં મંદિરો પણ બંધ છે, ત્યારે મારે કહેવું છે, ભગવાન આપણી અંદર વસેલો છે, તે વાત આખી દુનિયા ને ખબર છે, ખબર હોવી અને આચરણ કરવું તે બંને બાબત માં જમીન આશમાનનો ફર્ક છે,
આજે મને જીતેન્દ્ર અઢીયાની બૂક યાદ આવે છે, '' મન અને જમીન '' તેમાં કેટલું સરસ સમજાવ્યું છે, કે ભગવાન આપણી અંદર જ વસેલો છે, જોકે હુ! પણ એવું માનું છું, ઘર એજ મંદિર છે, જોકે મંદિર માં શાંતિ મળે છે, પણ તેમાં ય લોજીક છે, મંદિર મા ચોવીસ કલાક ધૂન ચાલતી હોય અને બધાં! ના મન શાંત હોય છે, એટલે કે, શાંતિના વિચારોનું વાઇબ્રેસન આખા મંદિર ને મળતું હોવાથી મંદિર માં શાંતિ લાગે છે, પણ અત્યારે તો મંદિરો પણ બંધ રાખવામાં આવ્યાં છે, એટલે ખાસ મારે! વિચારીની ચર્ચા કરવી હતી.
વિચારો માં અદ્ભુત તાકાત હોય છે, જે મેં! ખુદ અનુભવ્યું છે, અને એટલે જ તમારા સુધી વાત પહોંચાડવા મારી! કલમ ફરી રહી છે, પહેલાં તો હું! ભ્રમ્હાકુમારી શિવાની દિ, અને ડો. જીતેન્દ્ર અઢીયાનો આભાર માનીશ કે, આ બંનેની બૂક અને ઓડિયો સાંભળી મને! લખવાની પ્રેરણા જાગી છૂ, આમ તો મે! ઘણી સ્ટોરી લખી છે, પણ હાલના સંજોગોમાં વિચારો આપણી પર શું અસર કરૂ છે, તે કહેવું ખૂબજ જરૂરી થઈ ગયું છે.
આપણને બે મગજ હોય છે, જાગૃત મન અને અર્ધજાગૃત મન. મારો વિષય મનોવૈજ્ઞાન હોવાથી મને મન વિશે જાણવાની વઘારે ઉત્કૃષ્ટતા રહી છે, ચાલો ડાયરેક્ટ પોઇન્ટ પર આવું.
1 હું સ્વસ્થ છું. 2 હું પાવરફૂલ આત્મા છું. બસ આ બે લાઈન રાત્રે સૂતા સૂતા જ્યાં સુધી ઉંઘમાં ગરકાવ ન થઈ જાવ ત્યાં સુધી બોલવાનું અને એ પણ રોજ આપણે તો સૂઈ જઈએ છીએ પણ આપણું મગજ ક્યારેય સૂતુ નથી પણ આપણે બોલેલા વચનો ઉપર કામ કરવા લાગી જાય છે, મને! તો ઢગલો અનુભવ મળ્યા છે, અને ખાસ વાત એ છે કે, આપણે બીજી વ્યક્તિ! નું નામ લઇ તે વ્યક્તિ! સ્વસ્થ છે, પાવરફૂલ આત્મા છે. આવું હું! રોજ બોલતી હતી, મારી એક ફ્રેન્ડ! છે, જે ડો. છે, અને હાલ મહામારીનાં કારણે ડો, ને સ્વસ્થ રાખવા અતિઆવશ્યક છે, એને તમે માન્યામાં નહિ આવે એણે જ્યારે કોરોનાના રીપોર્ટ કરાવ્યો તો તેનો! રીપોર્ટ નેગેટીવ આવ્યો જ્યારે તેની એક ફ્રેન્ડ છે, તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો, હું! મારી ફ્રેન્ડ! ને રોજ સૂતાં સૂતાં તેને! મારા વિચારોના વાઇબ્રેસન આપતી હતી કે, તે સ્વસ્થ છે, પાવરફૂલ આત્મા છે.
બસ, મારે વાત અહીં અટકાવું છું, મારે! જે સંદેશ આપવો હતો તે આપી દીધો.
'' જય હિન્દ ''

✍️✍️ ઈલા રાઠોડ ✍️✍️

Gujarati Thought by નવસર્જન : 111411626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now