શનિવારે ન કરી બેસતા આ ભૂલ, મુશ્કેલીઓ હંમેશા માટે કેડો નહીં છોડે
નવગ્રહોમાં શનિદેવને સૌથી ક્રુરગ્રહ માનવામાં આવે છે. સાશે સાથે એ પણ કહેવાય છે કે તેઓ ન્યાયના દેવતા છે. શનિ દેવ નિર્દોષ લોકોને ક્યારેય હેરાન કરતા નથી તો ખરાબ કામ કરનારને છોડતા પણ નથી. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માન્યતા છે કે શનિવારે આ કાર્ય કરવાથી શનિદેવ નારાજ થાય છે.
આ વસ્તુઓને ન લાવશો ઘેર
કહેવાય છે કે સરસોનું તેલ, લાકડી, કાળા અડદનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પણ જો તમે ભૂલથી પણ શનિવારે આ વસ્તુઓની ખરીદી કરો તો શનિદેવનો ગુસ્સો ભોગવવાનો આવે છે.
આ વસ્તુઓ ન ખરીદશો
અઠવાડિયાના છેલ્લા દિવસોમાં ફરવા જતા હોઈએ ત્યારે બાળકોની જીદ પુરી કરવા રમકડા, પેન, કાગળ જેવી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. ખાસ ધ્યાન રાખવુ જે વસ્તુઓ ખરીદો તેમાં લોખંડની કોઈ વસ્તુના હોઈ કેમકે શનિવારે બને ત્યાં સુધી અભ્યાસનો સામાન અને લોખંડની ધાતુઓથી દૂર જ રહેવુ.
આ વસ્તુઓનો ન કરવો ઉપયોગ
શનિદેવ તામસી પ્રકૃત્તિના લોકોને નફરત કરે છે આથી માંસ મદીરાનું સેવન ન કરશો. આખો પરિવાર સાથે મળી સાત્વીક ભોજન કરો, અડદની દાળની ખીચડી ખાઓ આનાથી શનિ ગ્રહદશા દૂર થશે.
કહેવાય છે કે સરસોનું તેલ, લાકડી, કાળા અડદનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પણ જો તમે ભૂલથી પણ શનિવારે આ વસ્તુઓની ખરીદી કરો તો શનિદેવનો ગુસ્સો ભોગવવાનો આવે છે.