Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર પ્રમાણે નક્ષત્રોની શુભાશુભતા

સપ્તાહના દિવસ પ્રમાણે કયુ નક્ષત્ર સારુ કે ખોટુ તે જાણો

રવિવારઃ અશ્વની, મુલ, પુષ્પ, હસ્ત , ઉત્તરા ફાલગુની ,ઉત્તરષાઢા, ઉત્તર ભાદ્રપદ આ સાત નક્ષત્રો સારા થાય છે.પરંતુ જો રવિવારે મઘા, ભરણી, અનુરાધા,જેષ્ઠા અને વિશેખા નક્ષત્રો હોય તો સારા ફળદાયક નહી.પરંતુ જો સપ્તમી અને બારશ આ બન્ને તિથિ અશુભ ફલ દાયક.

સોમવારઃ સોમવારે શ્રવણ, અનુરાધા , પુષ્પ, મૃગશિરા આ પાંચ નક્ષત્રો શુભ છે. પણ જો અગિયારસના દિવસે આ પાંચ માંથી કોઈ નક્ષત્રની અશુભ લાગે છે .પુ.ષા., ઉ.ષા., ચિત્રા અને વિશાખા નક્ષત્રો અશુભ ફળ કારક છે .

મંગળવારઃ કૃતિકા, અશ્વિની, આશ્વલેષા, મુલ, ઉ.ભા નક્ષત્રો શુભ થાય છે.મંગળવારને દસમ હોય તો અશુભ બને છે . ઉત્તરષાઢા, ઘનિષ્ઠા, શતભિષા, પુ. ભાદ્રપદ અને આદ્રા નક્ષત્રો અશુભ થાય છે .

બુધવારઃ પુષ્પ, હસ્ત, મૃગશિરા, રોહિણી, કૃતિકા, અનુરાધા નક્ષત્ર શુભ છે. જ્યારે પ્રતિપદા અને નવમી તિથિ અશુભ થાય છે. ઘનિષ્ઠા, ભરણી, અશ્વિની, અને રેવતી નક્ષત્રો અશુભ ગણાય છે .

ગુરૂવારઃ અશ્વિની,અનુરાધા, પુનર્વસુ, રેવતી અને પુષ્પ નક્ષત્રો શુભ મનાય છે . પરંતુ આઠમે આ નક્ષત્રો અશુભ ફળ આપે છે .શતભિષા, રોહણી, મૃગાશિષ, આદ્રા, ઉત્તરા ફાલ્ગુની અને કૃતિકા નક્ષત્રો અશુભ મનાયા છે .

શુક્રવારઃ રેવતી, અશ્વિની, પુર્વા ફાલ્ગુની શ્રવણ ઉત્તરષાઠા અને અનુરાધ શુભ થાય છે પણ જો સપ્તમી હોયતો અશુભતા વધે છે. પુષ્ય, આશ્વલેષા, મઘા, રોહીણી અને જ્યેષ્ઠા આ નક્ષત્રો અશુભ થાય છે..

શનિવારઃ રોહીણી, શ્રવણ, સ્વાતિ, અને શતભિષા નક્ષત્રો શુભ થાય છે. પરંતુ ઉ.ફા, હસ્ત, ચિત્રા, પુર્વષાઠા, ઉત્તરષાઠા, અને રેવતી નક્ષત્રો અશુભ થાય છે . પણ આ દિવસે છઠ્ઠ હોયતો અશુભ થાય છે.

રવિવારે પ્રતિપદા, છઠ્ઠ અથવા બીજ આ બે તિથિમાંથી કોઈ પણ તિથિ શ્રેષ્ઠ ગણાય છે. સોમવારે અષ્ટમી, પંચમી પ્રતિપદા હોય મંગળવારે ચતુર્થી, સપ્તમી અને અષ્ટમી , બુધવારે છઠ્ઠ, તૃતિયા અને અષ્ટમી, ગુરૂવારે ચોથ, છઠ્ઠ, પ્રતિપદા અને અષ્ટમી અને શુક્રવારે પ્રતિપદા છઠ્ઠ અને નોમ હોય શનિવારે આઠમ, ત્રીજ, પંચમી અને સપ્તમી હોય તો શ્રેષ્ઠ હોય છે .

અંધ , મંદ, મધ્ય, સુલોચન નક્ષત્રો અને તેનુ ફળ

અંધ નક્ષત્રો

રોહીણી, પુષ્ય, ઉ. ફાલ્ગુની, રેવતી વિશાખા, પુર્વ ષાઢા, ઘનિષ્ઠા

આ નક્ષત્રો મધ્ય ફલ દાયક,.

મંદ નક્ષત્રો

મૃગશિરા, આશ્વલેષા, હસ્ત, આશ્વની , અનુરાધા, ઉ.ષા., શતભિષા

ફળ ઃ સખ્ત મહેનત થી આગળ વધાય ..

મધ્ય નક્ષત્રો

આદ્રા, મઘા ચિત્રા, ભરણી, જેષ્ઠા, અભિજિત, પુર્વ ભાદ્રપદ

ફળ - ખુબજ મહેનત કરવા છતા ફળ ન મળે

સુલોચન નક્ષત્રો

પુનર્વસુ, પુર્વા ફાલ્ગુની , કૃતિકા સ્વાતિ, મુલ, શ્રવણ, ઉ. ભાદ્રપદ

ફળ મધ્યમ ફળ . પણ અમુક ચરણ ખરાબ ફળ આપે .

દરેક નક્ષત્ર ના ચાર ચરણ હોય છે . ચરણ પણ ફળ આપવામાં મહત્વનો ફાળો આપે છે

શુભમ ભવતુ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111362349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now