Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગ પર પગ રાખીને બેસો છો થઇ જશો કંગાળ

આ વાતથી આપણે દરેક લોકો વાકેફ છીએ કે આપણા જીવનમાં ઘણી એવી આદતો હોય છે જેને આપણા શાસ્ત્રો દ્વારા પણ નકારાત્મક ગણાવવામાં આવી છે અને જો આપણે તે કરીએ છીએ તો તે આપણા માટે ઘાતક હોય છે. એવામા કેટલીક એવી આદતો પણ છે જે બાળકો તેમજ ઘણા લોકોમાં જોવા મળે છે અને તેના ખોટા પરિણામ આવે છે. એવામાં આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેટલાક લોકોને પગ પર પગ ચડાવીને બેસવાની આદત હોય છે અને આ આદત સામાન્ય રીતે દરેક લોકોમાં જોવા મળે છે. એવામાં હિન્દુ શાસ્ત્રમાં આ આદતો અંગે જણાવવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં આ આદતને ખૂબ ગંભીર ગણાવી છે.

કહેવાય છે કે જો કોઈ પૂજાના સ્થાન પર પગ પર પગ રાખીને બેસો છો તો ઇશ્વરની કૃપાથી વંચિત રહી જાવ છો. જ્યારે હિન્દુ શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ધનની દેવી લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે. કહેવામાં આવે છે કે સાંજના સમયે કોઇ વ્યક્તિ પગ પર પગ ચઢાવીને બેસે છે તો મા લક્ષ્મી તેનાથી રિસાય જાય છે અને તે ફરીથી તેમના ઘરે આવતા નથી.

તે સિવાય કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીના રિસાય જવાના કારણથી સંબંધિત વ્યક્તિને ધન સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણથી ક્યારેય પણ સાંજના સમયે પગ પર રાખીને ન બેસવું જોઇએ. પગ પર પગ ચડાવીને બેસનાર વ્યક્તિ ક્યારેય અમીર બની શકતા નથી. તે લોકોને હંમેશા પૈસાની સમસ્યા રહે છે અને તે આખી જીંદગી ગરીબ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now