Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂપિયાનો કારણ વગર વ્યય થતો હોય, તો આજથી કરો આ નિયમોનું પાલન

દિવસ રાત મહેનત કર્યા પછી ઘરમાં આવતાં નાણા જો ટકતાં ન હોય, એટલે કે ઘરમાં બચત થતી ન હોય તો સમજી જવું કે ઘરમાં અને પોતાની કેટલીક આદતોને સુધારવાની જરૂર છે. જી હાં, કેટલીક આદતોને કારણે આપણે અજાણતા જ લક્ષ્મીજીનો અનાદર કરીએ છીએ. તો જાણી લો કે એવી કઈ ભુલો છે જે ન કરવી જોઈએ.

– પરિવારના બધા સભ્યોના માથા પરથી કાળા તલ 7 વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા. આ પ્રયોગથી પણ ધનહાનિ અટકી જશે.
– દર શનિવારે કાળા કૂતરાને રોટલી પર સરસિયાનું તેલ લગાવી ખવડાવો.
– સંધ્યા સમયે પથારીમાં સૂવાનું તેમજ ભોજન કરવાનું ટાળવું.

– પથારીમાં સૂતા પહેલા પગ ઠંડા પાણીથી ધોઈ લેવા અને પછી કોરા કરીને સૂવું. ક્યારેય ભીના પગે સૂવું નહીં કારણ કે તેનાથી ધનહાનિ થાય છે.
– જમતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તેમ બેસવું. ખાસ ધ્યાન રાખવું કે ચંપલ પહેરીને ક્યારેય જમવા બેસવું નહીં.
– જો વેપારમાં નુકસાન થતું હોય તો રાત્રે ચોખા, દહીં તેમજ સત્તૂનું સેવન ન કરવું. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે.

– સવારે મોં ધોયા વિના પાણી કે ચા ન પીવા જોઈએ.

– જમ્યા પછી હાથ ધોયા વિના કોઈને પણ અડકવું નહીં તેમજ કોઈ કામ પણ ન કરવું. સૌથી પહેલા હાથ-મોં જ સાફ કરવા જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now